શરમ લાજ ઈજ્જત જેવું કાઈ હોય તો આ રૂપાણી સરકાર તેમના સ્થાનિક વિસ્તાર ના કલેકટર કચેરીમાંથી કયા ભાજપ ના ગોદી મીડિયા વાળા પત્રકાર ને આં લાંચ તરીકે કાઈ મહેરબાની થી આપ્યા તેમના નામ જાહેર કરે… સમગ્ર અખબારી આલમ ને સરકારી અધિકારીના ખભે બદનામ કરવાનું બંધ કરે નહિ તો સરકાર ના એક એક વિભાગ ના ભગવા દલાલો ના નામ સાથે ના પુરાવાઓ અખબારી આલમ માં પ્રસિદ્ધ કરવાની ફરજ પડશે તેમજ નલિયા કાંડ ની 35 પીડિતા ઉપર 65 વાર બળાત્કાર થયેલા નો કેસ ફરી ખોલાવી ચાર્જશીટ પ્રજા જોગ પ્રસિદ્ધિ માટે બહાર લાવાની એમણે ફરજ પડશે.તેમજ હરિભાઈ ના વોટર રિસોર્ટ માં પોલીસ અધિકારી નિવૃત્ત પાર્ટી ની કથા પણ વર્ણન કરવું પડશે.જો કલેકટર શ્રી દ્વારા કોઈ નેતાએ દબાણવશ ખોટું કરાવ્યું હોય તો તે પણ જાહેર કરી ને કલેકટર ને પાણીચું આપવામાં આવે.અખબારી આલમ ના હક અને સરકારી સગવડો ઉપર સરકારે જે પ્રકારે ખોટા નિં જરૂરી પરિપત્રો જાહેર કરી ડોક્યુમેન્ટ મંગાવી ખોટું કરવાની ફરજ પડે છે અને ખોટું કરેલા અધિકારીઓ ને છાવરી સરકાર ની વાહ વાહ માટે મહિતિખતા ના કર્મચારીઓ નો ઉપયોગ કરવામાં આવે છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિ હવે પ્રજા માં લાવવી પડશે. બધા અખબારી આલમ ના લોકો સરકારી ટુકડા ઉપર જીવતા નથી. ભાજપ ની વહાલા દવલાની નીતિ ચૂંટણી માં ભારે પડશે .
જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી સરમુખત્યાર રીતે પોતાની પાર્ટીનો જે કોઈ મીડિયા પ્રચાર.પ્રસાર કરીને દાબ માં રહે તે લોકો ને સાચવવામાં આવે છે.માહિતી ખાતામાં અધિકારીઓ શાશક પક્ષ ના મંત્રીઓ એ કરેલા કામો ના પ્રચાર અને પ્રસાર ની પ્રેસ નોટ અખબારો ને શોષિયલ મીડિયા ના માધ્યમ થી મોકલી ધ્યાન રાખવાની ફરજ પાડવામાં આવે છે કે કયા અખબાર શાશન ની અવગણના કરે છે.તેમજ નેગેટિવ અને પોઝિટિવ મીડિયા નો અહેવાલ શાશક નેતાઓ અને તેમના પાર્ટી કાર્યાલયે મોકલી ગમે તે રીતે મીડિયા ને અવગણના કરીને તેના હકો ઉપર તરાપ મારી કંટ્રોલ કરવાનું ષડયંત્ર મોદી શાશન થી શરૂ થયું છે..જેમાં તટસ્થ અખબારી માલિકો અને પત્રકારો રૂંધાય છે..હવે તેમના માહિતી ખાતા દ્વારા વર્ષોથી અપાતા એકરિડીટેશન કાર્ડ પણ રોકી દઈ તેમને સરકારી કાર્યક્રમ.સચિવાલય પ્રવેશ,વિધાનસભા પ્રવેશ પર રોક લગાવાઇ છે.સિનિયર ૨૫ થી ૪૦ વર્ષ થી કામ કરતા ને પણ બહાના કાઢી તેમના કાર્ડ રોકી temnibkalam બંધ કરાવવાની ફરજ પડાય છે.કાર્ડ માત્ર બસ માં મુસાફરી કરી રીપોરટીગ કરી સરકારી આવાસ માં રાતવાસો સિવાય કોઈ કામકાજ માટે હોતું નથી છતાં અખબારી માલિક ના સી.એ સર્ટિફિકેટ જેવા પ્રમાણપત્ર મંગાવી બહાના કાઢી રોકવામાં આવ્યા છે..વર્ષોથી જે પ્રણાલિકા થી જાહેર ખબર અપાતી હતી તે પણ રોકી માનીતા અખબારો ને આપીને પોતાનો પ્રચાર.પ્રસાર કરવાની ફરજ પડાય છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના અખબારી આલમ ને રાજ્ય સરકાર પૂરી પાડવાના ધારાધોરણ માં ચેડાં કરી પત્રકારો ની જાળવણી ખર્ચ ની ગ્રાન્ટ નો પણ કોઈ હિસાબ આપવામાં આવતો નથી.છેલ્લા બે વરસ થી માહિતી કમિશનર અને મુખ્યમંત્રી અખબારી માલિકો ને મળવાનો સમય નથી આપતા તેમજ કોઈપણ ખુલાસો આપતા નથી .જેના કારણે અખબારી માલિકો રોજે રોજ અખબાર છપાવી સરકાર માં જમાં કરાવી રહ્યા છે છતાં કોઈ વિજ્ઞાપન ની કે કાર્ડ ની પોલિસી જાહેર કરતા નથી.માનવ અધિકાર ની કાનૂની કલમ નો પણ અનાદર કરી અખબારી માલિકો ને ગળે ટુંપો આ ભાજપ સરકાર બેઠી છે.. સાપ્તાહિક.પાક્ષિક અને અનેક દૈનિકો આજે મૃત પાયે આવી ગયા છે. મહિતીખતા ના અધિકારીઓ ને ગમે તે બહાને કાર્ડ અને જાહેર ખબર નહિ આપવી તેવી ફરજ પડાવી અખબારી આલમ સાથે ઘર્ષણ કરાવાય છે…અમારા જેવા ૨૪ વરસ થી સાપ્તાહિક.દૈનિક,વેબ પોર્ટલ ડિજિટલ મીડિયા અખબાર
ચલાવતા ને પણ કોઈ સરકારી કાર્યક્રમ મા આમંત્રણ.સરકારી પ્રવેશબંધી કરી રહ્યા છે. કેમકે અમારા અખબાર સત્ય ની પડખે સાડા ચાલી ગમે તેવા ચમરબંધી વિરુદ્ધ લખતા પણ અમો અચકાતા નથી…
અધૂરામાં પૂરું કલેકટર દ્વારા પત્રકારો ને ઑફિશિયલ કલેકટર ના હાથે ચેક આપવાનો આં કીમિયો અખબારી આલમ ને બદનામ કરવા માટે કર્યો તેવું લાગે છે. આ બાબતે રૂપાણી એ સંપૂર્ણ તપાસ કરાવી સત્ય શોધી ચોથી જાગીર ને બદનામ થતું અટકાવવું જોઈએ…..
તંત્રી/માલિક…..જન ફરિયાદ દેશ વિદેશ(૧૯૯૬) તેમજ ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪) janfariyadnews.com વેબ પોર્ટલ((૨૦૨૦)ગાંધીનગર….મોબાઈલ.૯૮૨૪૬૫૩૦૭૩ એક હિ આગ જન ફરિયાદ. ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.