પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના પ્રશ્નોના જવાબો નહીં આપીને ટાળતા સાંસદ મોકરીયા તેમજ પુરુષોત્તમ રૂપાલા મેયર નયનાબેન તેમજ ભાજપ પ્રમુખ નીતિનભાઈ….ઊભી પૂંછડીએ પ્રેસ છોડીને ભાગ્યા..
NG-217-28 -5-24 pdf NG-218-29-5-24 pdf NG-219-30-5-24 pdf
રાજકીય ખેલો ની હવે હદ થઇ ગઇ…જેમ એક સમયે હાઇકોર્ટ દ્વારા 16 નક્લી એન્કાઉન્ટર જાહેર કરાયેલા અને પછી શાશન ના જોરે,કાયદાકીય સલાહો વચ્ચે,જેમ સરકારી પુરાવાઓ ના નાશ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ માં મોટા ભાગના નકલી એન્કાઉન્ટર જેમ અસલી થઈ ગયા અને એક સમયે રાજ્યના ગૃહ મંત્રી જેલવાસ ભોગવેલ આજે ક્લીન ચિટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી છે…..આવી આ શાશક સરકાર ની ફાવટ માં આ ગેમ ઝોન ની જગ્યા પણ એકદમ સાફ કરી નાખવામાં આવી..ક્રાઇમ સીન ઉપર બલ્ડોઝર ફેરવી દેવાયું. ગુજરાતના અને રાજસ્થાનના ઉચ્ચ નદી અધિકારીઓ પણ આ બાબતે નવ વર્ષ સુધીના જેલવાસ ભોગવી ચુક્યા છે અને અંતે આખા ગોધરાકાંડના તમામ આરોપીઓ અને બીજા કાંડોના તમામ આરોપીઓને ક્લીન ચીટની જેમ 28 વર્ષ પછી, વર્ષો પછી છોડી દેવામાં આવ્યા છે.. ગોધરા કાંડ અને ત્યારબાદ અનેક કાંડો જે ગુજરાતમાં થયા તો ગોધરાના ડબ્બાને જ્યાં સુધી સીટ /નિમાયેલ એસ.તો.શાહ પાંચ રચાયા પછી તેનું કામકાજ પૂરું થયું નહીં ત્યાં સુધી તે ડબ્બાને સીલ કરીને તે જ હાલતમાં રાખવામાં આવ્યો હતો અને આવા ક્રાઈમના ઘણા કેસોની અંદર જે તે સ્થિતિની અંદર જે તે સ્થળ ને રાખીને તપાસ કરવામાં આવે છે પણ આ ઘટનામાં તાત્કાલિક બૂલડોઝર ફેરવીને જાણે ચોખ્ખું મેદાન હોય અને જ્યાં કશું બન્યું જ નથી એવું કરી દેવામાં આવ્યું એ પણ શંકાના વાદળો ઘેરે છે..એકપણ મૃતદેહ નું મોઢું જોઈ ના શકાય…એમ બધાજ 800 ડિગ્રી માં 45 સેકંડ માં ભસ્મી ભૂત થઈ ગયા….અને હાડકા ના DNA કરી તપાસ માં સંતોષ વ્યક્ત કરાવાય છે….આ બધું પુરાવાઓ માં નાશ થઈ રહ્યું છે ત્યાં સુધી માત્ર 5 અધિકારીઓ ને સસ્પેન્ડ સિવાય કોઈ પગલાં લેવાયા નથી..આ પાંચેય અધિકારીઓ ની ધરપકડ પણ નથી થઈ….હજુ કલેકટર,પોલીસ કમિશનર જેવા મહાન હોદ્દાઓ ઉપર બિરાજમાન ઉપર કોઈ ઢોસ એક્શન લેવાયા નથી….કાયદેસર ગેર રિતીના પુરાવા સામે હોવા છતાં સરકાર હજુ તો ગવર્નર ની પરમિશન લઈને આ ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન ઉપર કોઈ પગલાં લેતી નથી અને આ ગેમ જોન ના ભાગીદારો ને પકડી તપાસ નું જાણે નાટક કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ સરકારી અમલદારો નું કાઇજ કરતી નથી….શું પ્રજા આક્રોશ ભભૂકી ઊઠે અને જવાબદાર ને જાહેર મા સજા કરે, શું તેની રાહ જોવાઇ રહી છે?હજુ તો મૃત્યુ આંક નો સાચો આંકડો બહાર નથી પાડી શક્યા.જુદા જુદા આંકડાઓ ચર્ચાઈ રહ્યા છે.સત્તાવાર આંકડા તદ્દન ખોટો જણાઈ રહ્યો છે..ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય મા ચાલતા NOC વગર ના ગેમજોંન ઉપર FIR કરવાનો હાસ્ય ઉપજાવે તેવો હુકમ કરી સંતોષ માને છે…તો શું એમ માનવું કે જે તે પોલીસ કમિશનર અને અધિકારીઓ અત્યારે સુધી રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિના ઇશારે વગર એનઓસી થી આવા ગેમજોન ને ચાલવા દેતા હતા?… શું અધિકારીઓની આ કાયદાકીય ફરજ નથી કે એનઓસી વગરના કોઈપણ ગેમ ઝોન પ્રોજેક્ટને ચાલવા ન દેવાય? શું આ હુકમ કરીને સરકાર એવી કબુલાત આપી રહી છે કે હા NOC વગર પણ આવા ગેમ ઝોન ચાલવા દેવા અને તેની સામે કોઈ પગલા લેવા નહીં?
આવા અધકચરા બે મોઢાની વાત વાળા રાજકીય શાસન ખરેખર ભાવી પેઢીના વિનાશ જેવા નકલી વિકાસ કરી શકે, તેથી આગળ બીજું કશું જ નહીં… રાજકોટમાં કમિશનર કલેકટર અને કોઈપણ વિભાગના અધિકારીઓ કોને મૂકવા આ બધી જ બાબતો દિલ્હીથી નક્કી થઈ અને મૂકવામાં આવે છે જે બધા જ જાણે છે તેમ છતાં પણ મોદી અને શાહનું આ અકળ મૌન એ “મણીપુર”ઘટના ની રાજકીય ચાલબાજી યાદ કરાવે છે… કાયદાકિય નિષ્ણાતો ની સલાહો લઈને આમાં પણ ક્લિનચીત બે ત્રણ દિવસમાં મેળવીને ફરી પાછા સંસદની ચૂંટણીના પરિણામોના વરઘોડા એ સમગ્ર રાજ્યમાં ભાજપના કેસરી પટ્ટા અને ટોપી પહેરીને જોકરોની જેમ તમને નાચતા અને કુદતા વિજય ઉત્સવ બનાવતા જોવા મળશે .રોડ શો યોજી ને તેમના માનીતા કટકી બાજ નેતાઓના પૂતળાંઓ, કટ આઉટ હાથમાં લઈને ભાગવા કાર્યકરો રોડ ઉપર ઘરચોલા પહેરી જુદી જુદી વેશભૂષા માં જોવા મળશે અને ગોદી મીડિયાને કોન્ટ્રાક્ટ આપી સોશિયલ મીડિયામાં પણ છવાઈ જશે અને પ્રજાને બેધ્યાન કરી દેશે..પણ આ 28 બાળકો ની શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો,સંવેદના મીણબત્તીઓ પણ સળગાવીને પ્રાયશ્ચિત કરતા આ ભગવા ભાજપના કલાકારો અને એમની મંડળીઓ જોવા નહીં મળે.. હજુ સુધી નવાઈની વાત એ છે કે રાજકીય પ્રેરિત એનજીઓ,પ્રાઇવેટ શાળાઓ,સરકારી શાળાઓ ધાર્મિક સાધુ સંતો ના ટ્રસ્ટ દ્વારા પણ કોઈ શ્રધ્ધાંજલિ ના કાર્યક્રમો અને પાટીદારોની મોટી વિશ્વ કક્ષાની સંસ્થાઓ એ પણ હજુ સુધી કોઈપણ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કર્યો નથી અને અન્ય સમાજો દ્વારા પણ આ ગોઝારી ઘટના ના કોઈ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો કર્યા નથી, એનું કારણ એ છે કે મોટાભાગના સમાજના નેતાઓ ભાજપના રંગે રંગાયેલા હોવાથી તમામ સામાજિક કાર્યક્રમો પણ ભાજપની ભગવી પરંપરાથી જ યોજાઈ રહ્યા છે. આ આખી ઘટનાને પ્રજા માનસમાં ભુલાવી દેવાનો કારસો જાણે શાસક સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ કરી રહ્યા હોય તેવું ચર્ચાતું સંભળાય છે. સમગ્ર ગુજરાતના ધારાસભ્યો સાંસદો કોર્પોરેટરો અને ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન પક્ષના નેતાઓ ના કોઈ સ્ટેટમેન્ટ આ બાબતે આવી નથી રહ્યા તે સ્પષ્ટ બતાવે છે કે બહુ જ ખોટો મસ્ત મોટો કારસો રચીને રાજકીય બાહુબલીઓ આ ઘટનાને દાબી દેવા માગે છે અને કોઈપણ એવા ઠોસ પગલાં લેવા માગતા નથી કે જેનાથી સરકારી અધિકારીઓ હેરાન થાય અને સરકારને નામોશી આવે.. બહુમતના ચોરે કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા છે ત્યાં સુધી જેટલું પ્રજા ઉપર જોકમીનું શાસન કરાવીને પોતાને મનગમતો શાસન થાય તેટલું કરી લેવું એવું આ ભગવા ભાજપ અને શાસક સરકારની નીતિ રેતી ઉપરથી લાગી રહ્યું છે. કોઈપણ યોજનાઓ બહાર પાડવી હોય અથવા તો પોતાના ભગવાન નેતાને પ્રસિદ્ધિ અપાવવી હોય તો છાશવારે પ્રેસ બોલાવીને ભગવી વેશભૂષામાં પ્રસિધ્ધિના નાટક કરવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે મુખ્યમંત્રી અને તમામ ઉચ્ચકક્ષાના અધિકારીઓ અને મંત્રીઓ બિલકુલ ચૂપ થઈ જાય છે અને રાજકીય ભાજપના નેતાઓ પણ આ બાબતે મૌન બનીને કોઈપણ જાતની પ્રેસ કરીને પ્રજાને કોઈ સંદેશો આપતા નથી. આવા સમયે કમલમ જેવા કાર્યાલય જાણે ભૂતિયા બની ગયા હોય તેમ જોવા મળે છે જ્યાં ભાજપના ભગવાઓનો ધમધમાટ જોવા મળે જેની જગ્યાએ અત્યારે કાગડાઓ ઉડતા હોય તેવું વાતાવરણ જોવા મળે છે અને માત્ર તેમના જુનિયરો બંધ કેબિનમાં બેઠેલા જોવા મળે છે.
******************************************
અહીંયા કોઈપણ જાતના રાગ ધ્વેશ વિના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તસવીરો તેમજ અમારા ખબર પત્રીઓના સમાચારો ખરાઈ કરીને લેવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર કે તસવીર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચારો કરાઈ કર્યા બાદ અહીંથી દૂર કરી શકાશે. તંત્રી