અમરેલીના ધારી ખાતે અમરેલી ભાજપના અગ્રણી મહિલા પૂર્વ મંત્રી તેમજ પંચાયતના પૂર્વ સદસ્ય મધુબેન જોશીની પાડોશમાં રહેતા મહેતા પરિવારના સભ્યો દ્વારા તલવારના ઘા જીંકીને હત્યા કરી નાખવામાં આવી. જોત જોતામાં પોલીસે આરોપીઓ ની બગસરા થી ધરપકડ કર્યાના સમાચાર મળ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા કાર્યકર મધુબેન જોશીની હત્યાથી સ્થાનિક ભાજપમાં સોફો પડી ગયો છે.આંતરિક પરિવાર વિવાદ મા આ હત્યા કરનાર આરોપી ઋષિક પરેશ મહેતા, જય ઓમ હિતેશ મહેતા, હરી ઓમ હિતેશ મહેતા ની ધરપકડ કરી છે.
તલવાર ના ઘા મારવાથી મધુબેન નો હાથ કપાઈ ગયો હતો જ્યારે વચ્ચે પડનાર મધુબેન નો પુત્ર રવી પણ ઘાયલ થવાથી હોસ્પિટલ મા સારવાર હેઠળ છે.
*****************************************
ગુજરાત હવે ડ્રગ હબ બાદ ગુનાખોરી નું પણ હબ બન્યું..છતાં પોલીસ નો લુલો બચાવ અને કહે છે કે ને પાંચ ટકા ગુનાખોરી વધી છે .શું આ કહેવાતું ભાજપ નું મોડેલ છે?
ધારી ભાજપના મહિલા નેતા મધુબેન જોષી ની નિર્મમ હત્યા નો બનાવ..આખા ભાજપ નો વાસ્તવિક ચહેરો બતાવે છે….”શું આ ” સલામત ગુજરાત છે* મે બનાવ્યું ગુજરાત કહેનારા ક્યા સંતાઈ ગયા? શું આવું આતંકી ગુજરાત તમે બનાવ્યું છે?
*રાજકોટ નો માનસિક તનાવ માં CRPF જવાન નો ગોળી મારી આપઘાત….*
*જામ ખંભાળિયા રોડ ઉપર ઘટનામાં ગાડીની ટક્કરમાં બાઇક સવાર ત્રણના મોત થયા,..* *અમરેલી જિલ્લામાં ભાજપના મહિલા સિનિયર કાર્યકર્તા ની હત્યા..*
*બોટાદમાં પણ નિર્મમ હત્યાનો બનાવ….*
*સુરતના ડીંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક અને હત્યાના બનાવ…*
*ચાલુ ટ્રેનનું સિગ્નલ ફેરવીને ટ્રેન ઉભી રાખીને લૂંટનો બનાવ….*
*ગુજરાત માં સુરત.ભાવનગર,શહેર કોટડા,મેઘાણીનગર અસામાજિક તત્વો નો ઠેકાણે આતંક…*
*અમદાવાદ શહેર કોટડા દિવાળી ના દિવસે શામળે નામના યુવક ના આતંક થી યુવા નું સારવાર દરમિયાન મોત…*
*મૃત્યુ પહેલાં નિવેદન પણ લીધા હોવા છતાં કોઈ વોન્ટેડ આરોપીને પકડવાની કામગીરી થતી નથી તેવો પરિવાર નો આક્રોશ..*
*પોલીસ ની નિષ્ક્રિય કામગીરીથી મૃતક પરિવારજનો નું આક્રંદ..
પોલીસ ગુનો નોંધી માત્ર ચોપડે નોંધાય છે..આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા નો જાહેર આક્ષેપ….*
*રિવર ફ્રન્ટ માં કુલ ચાર ઉવક યુવતી ના મૃતદેહ મળ્યા…*
એક હિ આગ ” જન ફરિયાદ “
****************************************
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ તેમજ મંત્રી મંડળ અને તમામ ભાજપ ના ધારાસભ્યો પોતપોતાના વિસ્તાર માં પાર્ટી આદેશાનુસાર નવા વર્ષ ની ઉજવણી સમૂહ સનમાન કાર્યક્રમો ની તૈયારીમાં અવ્યસ્ત….જ્યારે સી.એમ અને મંત્રી મંડળ ના સભ્યો કેન્દ્રીય મંત્રીઓ મોદીજી અને અમિત શાહ ના તેમજ ગુજરાત ના નકલી વિકાસ ના ગુણગાન ગાવા માં વ્યસ્ત છે..
ગુજરાત માં મોટા મુખ્ય નગરો માં ગુનાખોરી,અસામાજિક તત્વો નો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે….જ્યારે પોલીસ ની કામગીરી દિવસે દિવસે વધુ ને વધુ શંકાશીલ થતી જાય છે તેવી લોક ચર્ચાએ જાણવા મલે છે..ટ્રાફિક પોલીસ પ્રજા પાસે દંડ વસૂલ કરી જાણે ટાર્ગેટ પૂર્ણ કરતી હોય તેવા સમાચાર ઠેક્ ઠેકાણે જાણવા મળે છે…..આરોપીઓ ને પકડવા,છોડી દેવા,રિમાન્ડ ના લેવા કે માંગવા કે કાયદાકીય ગંભીર કલમો લગાવવી કે ના લગાવવી,વોરંટ ફરારી ને પકાડવો કે ના પકડી ભાગતો રાખવો કે ભગાડી દેવો….આ બધી બાબતે પોલીસ ના હપ્તા આપવા જ પડે તેવું પ્રજાકીય વર્તુળો માંથી વારંવાર જાણવા મળે છે…..છતાં સરકાર ના લાગતા વળગતા અધિકારીઓ અને મંત્રીઓ આંખ આડા કાન કરે..ખુદ ભાજપ ના ચૂંટાયેલ ધારાસભ્ય મુખ્ય મંત્રી ને પોલીસ વિરુદ્ધ હપ્તા ખોરી ની ગંભીર ફરિયાદ કરે છતાં નઠોર ની જેમ હાથી પાછળ કૂતરા ભસે તેમ આ સરકાર આંખ આડા કાન કરી બહુમત સત્તા ના નશામાં ચાલી રહી છે…
તટસ્થ પત્રકારો અને મીડિયા ઉપર એન કેન પ્રકારે પોલીસ દબાણ લાવી ખોટા કેસ કરી હેરાન કરી તેઓને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે..
જ્યા ખુદ ધારાસભ્ય નું જો અધિકારીઓ કે મંત્રીઓ માનતા ના હોય તો પછી પ્રજા નુંતો કોણ સાંભળે?
વિરોધ પક્ષ અને સંગઠનો અસંખ્ય આવેદન પત્રો રાજ્યપાલ,કલેક્ટર,મુખ્ય મંત્રી ને આપી ચૂકી છે..પણ જે ભાજપ સરકાર માં ગવર્નર ઉપર સમન્સ નીકળે,સમન્સ નીકળનાર સસ્પેન્ડ કરવામાં આવે…ખુદ કલેક્ટર સસ્પેન્ડ.જેલવાસ.જામીન ઉપર હોય અને મસમોટા મહેસૂલ ના કૌભાંડો માં અનેક નેતાઓ,બિલ્ડરો જેલમાં જતા બચાવી લેવાતા હોય ત્યાં પ્રજા ને શું ન્યાય મળે…ધર્મ સ્થાનો ને રાજકીય અખાડા બનાવી આંતર રાજ્ય ના રાજકીય મહાનુભાવો અને સેલિબ્રિટી લોકો માટે જાણે પ્રવાસન પિકનિક જેવા ઉપયોગ થતાં હોય અને કહેવાતા યાત્રા ધામ વિકાસ બોર્ડ ખુદ પપેટ ની જેમ કામ કરતા હોય ત્યાં પ્રજાના પ્રશ્નો કોણ સંભાળે અને સાંભળે…અસંખ્ય કર્મચારીઓ લાંચ રૂશ્વત માં પકડાય..ઇડી અને સીબીઆઇ સતત કાર્યરત..
..હવે તો ઘર ફૂટે ઘર જાય,હાથ ના કરેલા હૈયે વાગ્યા,દાઝયા ઉપર દામ….ઘર ના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો…અંગ્રેજો ને પણ સારા કહેડવે તેવી સરકાર….રજવાડાઓ ના પાટીદાર સંગઠનો સનમાન કરે કે જેઓ ની ઉત્પત્તિ રજવાડાઓ ના દાળિયા તરીકે થઈ જમીનદારો બનાયા હોય…જેના સનમાન કેન્દ્ર સરકારે કરવામાં હોય અને જેમાં એક પણ કેન્દ્રીય મંત્રી પણ હાજર ના હોય અને સ્થાનિક રાજ્ય મુખ્ય મંત્રી તેમજ સ્થાનિક મંત્રી મંડળ ના સભ્યો ,પૂર્વ ભાજપ ના મુખ્ય મંત્રીઓ રજવાડા ના સન્માન કર્યા હોય તેવું બુદ્ધિશાળી લોકો માં ચર્ચાઈ રહ્યું છે…અને ત્યારે દેશ ના વડાપ્રધાન ગુજરત પ્રવાસે આદિવાસી વિસ્તાર માં કેવડીયા ખાતે ભીડ ભેગી કરી એકતા સંમેલન કરતા હોય….અને રજવાડા સન્માન નો કાર્યક્રમ વિશ્વ પાટીદાર સંગઠનને જવાબદારી સોંપીને સરદાર વલ્લભભાઈ પટેલની 149 મી જન્મ જયંતી નિમિત્તે રાજકીય ઓથારે હેઠળ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે તેવું લોક ચર્ચા મા સાંભળવા મળ્યું…
હવે તો જાણે આભ ફાટ્યું હોય ત્યાં થીગડું મારવા કોણ જાય તેવી અવદશા….
******************************************
અહી કોઈપણ રાગદ્વેષ વિના જન જાગૃતિ ના ભાગરૂપે સમાચારો ફોટા પ્રાપ્ય થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરી તેવા સમાચાર ખરાઈ કરી અહીથી દુર કરી શકાશે..તંત્રી (9824653073)
******************************************
આપની આસપાસ બનતી ઘટનાઓ,સમાચારો પાટનગર ના એક માત્ર તટસ્થ મીડિયા પ્રસિદ્ધિ માટે અમોને વોટ્સ એપ,મેલ દ્વારા મોકલી આપો.મોકલનાર ની ગુપ્તતા જાળવવામાં આવશે.તે માટે મોકલનાર બિલકુલ નિર્ભય રહી શકે છે.ગુનાહિત/ભ્રષ્ટાચાર અંગેના વિડિયો,સમાચારો અમોને મોકલી જન જાગૃતિ ના સહભાગી બનો.
સનાતન હિન્દુ ધર્મ ના દેવી દેવતાઓ નું કોઈપણ ધર્મ સંપ્રદાય માં અન્યાય થતું નજરે ચઢે તો અમારી શ્રી સનાતન ધર્મ રક્ષક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમિતિ અધ્યક્ષ પ્રદીપ રાવલ(9824653073)તાત્કાલિક અસર થી ધ્યાન દોરવા વિનંતી…