NG-07 27-10-23
*સંસ્થા મોટી – વ્યક્તિ મોટા – કે શાસ્ત્રો સર્વોપરી?*
શ્રીનારાયણ હાલ જે રીતે સનાતન વૈદિક ધર્મનો નાશ થઇ રહ્યો છે, એના કારણના મૂળમાં જઈએ તો અન્ય કોઈ વિધર્મી કે વિધર્મી ષડયંત્ર નથી, મૂળ વૈદિક ધર્મના ક્ષય નું કારણ આપણે હિંદુઓ સ્વયં છીએ, નોકરી ધંધા વ્યવસાયમાં મગ્ન એવી હિંદુ પ્રજાનો પોતાનું પેટ અને પરિવાર પાલે કે ધર્મનું શિક્ષણ ગ્રહણ કરે એ નોકરશાહી આવ્યા પછી સતત પ્રશ્ન રહ્યો છે, મૂળ વૈદિક ધર્મીને નોકરી ધંધા રોજગાર કે વ્યવસાયની ચિંતા ન હતી. કારણ કે એમની જીવિકા જન્મથી જ આરક્ષિત હતી, કે ભવિષ્યમાં આપણે કુલપરંપરાથી જીવિકા ના જે પ્રકલ્પ છે એ જ આધારે જીવવાનું છે. હાલ એ સંભવ નથી. વિવાદો ત્યાં ઉભા થાય છે જ્યાં અન્ય ના કાર્યક્ષેત્રમાં અન્ય ઘૂસે છે, જન્મ આધારિત વર્ણ/જાતિ વ્યવસ્થા માનતો ભારત દેશ ક્યારેય ના ધનથી ગરીબ રહ્યો છે ન મનથી, માત્ર ૧૨૦૦ વર્ષ એને દાસપણામાં કાઢ્યા છે, ભૂતકાળમાં કોનો વાંક છે કોના કારણે શું થયું એ હવે વિચારવાનો સમય ગયો, હવે શું કરવાનું છે વિચારવાનો એ સમય છે.
ભારત માં વૈદિક ધર્મ અને શાસ્ત્રો જ સર્વોપરી છે, શાસ્ત્ર વિરુદ્ધ અધર્મ છે, અહી આપણે વ્યક્તિ કે સંસ્થાનું મહત્વ નહી શાસ્ત્રીય જીવનનું મહત્વ છે. ભૂતકાળમાં શાસ્ત્રો અને શાસ્ત્ર વચનોને બચાવવા માટે મોટા મોટા શાસ્ત્રાર્થ થતા જેમાં શાસ્ત્ર ના વચનોને વિકૃત કરવા વાળા બ્રાહ્મણને ચુનોતી આપવામાં આવતી અને પરિણામે હાર્યે જલસમાધિ દેવામાં આવતી હતી. આજે વ્યક્તિવાદ અને સંસ્થાવાદ ને એટલું પ્રબળ બ્રાહ્મણોનું સમર્થન છે,કે આ વ્યક્તિઓ અને સંસ્થાઓના સ્થાપકો ભગવાન બની ગયા છે. અહી મૂળ શાસ્ત્રોનો ક્ષય કરવામાં આવ્યો છે.
સિદ્ધાંત એ છે કે શાસ્ત્રો જ સર્વોપરી છે, એના વિરુદ્ધ કદાચ ગુરુ પણ આચરણ કરે એ પણ માન્ય નથી, પણ સંસ્થાકીય ભક્તો અને વ્યક્તિવાદીઓ એમ વિચારે છે ગુરુ એ કહ્યું એ બ્રહ્મવાક્ય. ગુરુ નિર્ણય અંતિમ નિર્ણય છે એ સત્ય છે પણ એ શાસ્ત્રની પરિધિમાં હોવો જોઈએ, શાસ્ત્રની પરિધિ થી બાહર કોઈ પણ ગુરુ નથી પછી ભલે ચાહે એ મૂળ પરંપરા ના હોય કે પાખંડી સંસ્થાઓનાં આજે સ્વામી સંપ્રદાયમાં અમુક મૂળ સિદ્ધાંતો(મૂળ ગાદી બીએપીએસ કે અન્ય નહી) વૈદિક ધર્મ ને માને છે એટલા સિદ્ધાંતો સુધી એ સાચા છે,પણ જ્યાંથી વ્યક્તિવાદ આવ્યો કે ઘનશ્યામ સર્વોપરી સર્વાવતાર ના અવતારી ભગવાન એ શાસ્ત્ર વિરુદ્ધ છે ત્યાથી વિરોધ શરુ થાય છે. અહી માત્ર સ્વામી સંપ્રદાયની વાત નથી થતી અહી તમામ જાણીતી સંસ્થાઓને આવરી લેવાના પ્રયાસ કરીએ છીએ.
વર્તમાનની તમામ ધાર્મિક સંસ્થાઓ વ્યક્તિવાદ અને સંસ્થાવાદ પર ચાલે છે “શાસ્ત્રવાદ” પર નહી. જેમકે,
– સ્વામીનાલાયક સંપ્રદાય માટે ઘનશ્યામ પાંડે ભગવાન છે અને બીએપીએસ માટે એમના ગુરુ જે વ્યક્તિવાદ છે અને એના સાંપ્રદાયીક શાસ્ત્રો જે વૈદિક ધર્મને અનુકુળ હોય કે પ્રતિકુળ એમને કોઈ અંતર પડતું નથી એના સંસ્થાના પુસ્તકો કહે એ સાચા,શાસ્ત્રો નહી.
– આર્યસમાજ માટે દયાનંદ સરસ્વતી જ માત્ર પ્રમાણ છે અન્ય તમામ મતો આચાર્યો બધા પાખંડીઓ છે અને આર્યસમાજ સંસ્થાજ મહાન છે, અને સત્યાર્થ પ્રકાશ જ અંતિમ સત્ય ગ્રંથ છે.વૈદિક શાસ્ત્રોનહી. એવું એમનું માનવું છે.
– ગાયત્રી પરિવાર માટે શાંતિ કુંજ સર્વોપરી છે, રામશર્મા જ એક ગાયત્રી ઉપાસક થઇ ગયા બાકી કોઈ નહી, અને ગાયત્રી પરિવારથી જ છપાયેલ સાહિત્ય માન્ય છે અન્ય મૂળ શાસ્ત્ર નહી.
– ઇસ્કોન માટે પ્રભુપાદ જ ગુરુ વ્યક્તિવાદ છે અને ઇસ્કોન સંસ્થાવાદ જે સાહિત્ય ઇસ્કોન બાહર પાડે એ જ એના માટે સત્ય અન્ય મૂળ શાસ્ત્રો નહી.
– બ્રહ્માકુમારી માટે લેખરામનું સાહિત્ય જ એના માટે પ્રમાણ છે ભલે ને એમાં હજારો વાતો મૂળ ધર્મ વિપરીત લખેલ હોય.
– સાંઈ ભક્તો માટે સાંઈ જ ભગવાન છે ભલે એ શાસ્ત્ર વિરુદ્ધ કેમ ન હોય, સાંઈ સતચરિત્ર એના માટે મૂળ શાસ્ત્ર છે સનાતન થી એમને શું લેવા દેવા?
– સમયે સમયે નવા પાખંડીગુરુઓ ફૂટી નીકળતા હોય છે જેમાં રામપાલ અગ્રેસર છે, જેલમાં બેઠા બેઠા એના વિકૃત અર્થઘટીત પુસ્તકો આજે એક એસએમએસ પર હોમ ડીલીવરી ફ્રી કરે છે. એના પર કેસો સાબિત થયા હોવા છતાં પણ આજે હરિયાણામાં એની લોકપ્રિયતા ઘટતી નથી.આજે એના ભક્તો કબીરને છોડી જગતગુરુ રામપાલ અને ભગવાન રામપાલ એવા શબ્દો પાખંડી માટે ઉપયોગ કરે છે.
– નાલાયક રામરહીમ,આશારામના ભક્તો આજે પણ જોવા મળે છે એ પણ ઉચ્ચ કક્ષાના બ્રેનવોશ વાળાને સનાતન દેવીદેવતાઓ અને શાસ્ત્રો તુચ્છ લાગે છે.
– બીજી બાજુ ચંદ્રમોહન જૈન ઉર્ફે રજનીશ ઓશો જે ઉચ્ચ કક્ષાનો વ્યાભિચારી નીચ વ્યક્તિ હતો જેના આજે પણ અનુયાયીઓ ઓશોના પુસ્તકો વાંચી એને ભગવાન કહે છે, અને સનાતન શાસ્ત્રો મૂળ પરમ્પરાના ગુરુઓ વિરુદ્ધ નિવેદન દેવામાં એના ચેલકાઓ એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતા આ ક્રૂર વ્યક્તિવાદ છે.
– વળી નવા ૨ કથિત ગુરુઓ રવિશંકર અને જગ્ગી વાસુદેવ બંને કોર્પોરેટ ગુરુઓ જેને મૂળ શાસ્ત્ર સાથે કોઈ લેણદેણ નથી એના ચેલાઓ બનાવવા અને પ્રચાર કરવા એ જ એ લોકો નું કાર્ય છે. ધર્મ એના માટે ધંધો છે.
– એ જ રીતે વિવેકાનંદ ને માનવા વાળા માટે એ વ્યક્તિ ને અને વર્ક્સ ઓગ વિવેકાનંદ ને પ્રમાણ છે, પણ વિવેકાનંદ “ફ્રીમેશન” હતા અને કલકત્તા માં મેસોનિક મ્યુઝિયમ માં એની પ્રતિમા પણ અનાવરીત છે. આજ ૯૯.૯૯% લોકો ને ફ્રીમેશન અને ફ્રીમેશનરી શું એ કેટલા ઘાતક છે, એ ખ્યાલ નથી.
આ તો અમુક નામો છે પણ,ધર્મ ના નામે હજારો સંસ્થાઓ એના બ્રેનવોશ ચારાની ચેલકાઓ બધા ને પોતાની સંસ્થા સાથે ભેળવવામાં કોઈ પણ હદ સુધી ની નીચતાનું પ્રદર્શન કરતા હોય છે. વૈદિક ધર્મ સંસ્થાઓ અને વ્યક્તિવાદ થી પર છે, જો આ જ રીતે સંસ્થાઓ અને વ્યક્તિવાદ ના “મેટ્રીક્સ” માં ફસાયા તો સનાતન ધર્મ તો શાશ્વત છે એન રહેશે જ પણ મૂળ ધર્મ દિવસે અને દિવસે વિકૃત થતો જશે.
અમારું શ્રીવૈદિક બ્રાહ્મણ સમૂહ નું એક જ લક્ષ્ય છે.
“પાખંડ મુક્ત વૈદિક ધર્મ! સંસ્થાકીય વાળા મુક્ત વૈદિક ધર્મ! વ્યક્તિવાદ મુક્ત વૈદિકધર્મ!”
તમારે ધર્મ અને અધ્યાત્મ સબંધિત પ્રશ્નો હોય તો મૂળ શાસ્ત્રવાદી પરંપરા હમેશા માટે આપના માટે ઉપલબ્ધ છે. ખાસ કરી ને ગુજરાતમાં શંકરાચાર્યજીઓ અને માન્ય વૈષ્ણવ પરંપરાના વલ્લભાચાર્યજીઓ પણ સુલભ છે, તેમજ વધુ માન્ય પરંપરાઓ રામાનુજાચાર્ય પરંપરા, મધ્વ પરંપરા, નિમ્બાર્ક પરંપરા વગેરે આપના માર્ગદર્શન માટે હમેશા સુલભ છે. તમારે બસ એક વાર મૂળ પરંપરા ના આચાર્યો પાસે જવાનું છે, સફળતા નો કોઈ શોર્ટ કટ નથી. એજ રીતે તમે કુલીન બ્રહ્મનિષ્ઠ નિષ્ઠાવાન બ્રાહ્મણ પાસે જાઓ મારો સ્પષ્ટ મત છે તમે ક્યારેય વિના શાસ્ત્રીય સમાધાને પાછા નહી ફરો, એક કુલીન ગૃહસ્થ બ્રાહ્મણ હિંદુ ગૃહસ્થો ની સમસ્યા સમજી સકે એવું કોઈ સંસ્થાગત ધર્મ કે નકલી ધુતારાઓ ન સમજી સકે.
સમય આવી ગયો છે તમામ સંસ્થાગત ધર્મ અને વ્યક્તિવાદ ને છોડવાનો આપણી છેલ્લી પેઢી છે, આ કાર્ય માટે પછી આપણી પાસે અફસોસ કરવા સિવાય કોઈ પણ વિકલ્પ નહી રહે.
રમેશચંદ્ર શાસ્ત્રી…
******************************************
“સંસ્થાવાદ હટાવો – વ્યક્તિવાદ હટાઓ ! સનાતન ધર્મ બચાવો. આજે સાંજે પાંચ વાગ્યે ગાંધીનગર દ્વારિકા શારદાપીઠ જગદગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્રામાં *સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ* ની વિશાળ ધર્મસભા આયોજન કરેલ છે
*************************************†****
અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થતાં જન જાગૃતિ ના ભગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધા જનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી
******************************************
janfariyadnews.com news chenal