મણીપુર ના કુલ ત્રણ જ્ઞાતી ની વસ્તી છે!
મૈતેય, કુકિ અને નાગા!
જેમા મૈતેય હિંદુ છે તથા સ્વર્ણ છે,
સૌથી વધુ વસ્તી ધરાવે છે,
વધુ ભણેલા પૈસાદાર અને સક્ષમ જ્ઞાતી તથા રાજકીય પણ ખુબ મજબુત!
એ લોકો શહેરો માં રહે છે!
“કુકિ” એ આદિવાસી છે પણ જેમા કેટલાકે ઘણા ખ્રીસ્તી ધર્મ અપનાવેલો છે!
જંગલો અને પહાડો માં રહે છે, ખુબ ગરીબ અને ઓછુ શિક્ષણ ધરાવે છે
તથા ST અનામત મેળવે છે અને એ અનામત જેટલુ જ રાજકીય રીપ્રેસ્ન્ટેશન મેળવે છે!
એટલે કે જેમ ગુજરાત માં ૧૮૨ માથી માત્ર ૧૩ જ દલીત અનામત સીટ છે તો દલીતો ને માત્ર ને માત્ર ૧૩ જ સીટો મળે છે
એમ “કુકિ” આદિવાસીઓ ને માત્ર એમની અનામત જેટલી જ સીટો મળે છે બાકી બધી મૈતેય વાળી જ ભોગવે છે!
સરકારી નોકરીઓ માં પણ કુકિ માત્ર અનામત જેટલાં જ બાકી બધા મૈતેય।
હવે આટલુ હોવા છતાં જેમ ભાજપે અને RSS એ ઝેર ફેલાવેલું છે કે અનામત ના કારણે જ દેશ બરબાદ થાય છે, સવર્ણો ને અન્યાય થાય છે એ કારણે જેમ પટેલો આંદોલન કરતા હતા
એમ મૈતેય ને ચઢાવ્યા!
કે તમને અન્યાય થાય છે, અમને જીતાવો તો આ અનામત કાઢી દઈશું!
તોય જીત્યાં તો નહિ પણ ધારાસભ્યો ખરીદિ ને ભાજપે સરકાર બનાવી.
મણીપુર ના મુખ્યમંત્રિ અને મોટાભાગ ની મંત્રિ કે ધારાસભ્યો “મૈતેય” છે!
બસ, કેસ થયો અનામત ની વિરુધ્ધ માં અને મણીપુર ની હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે “મૈતેય” જ્ઞાતી ને પણ ST અનામત માં ગણવા!
આ વાત તમને ગુજરાત ના પરીપેક્ષ ક્ષમાં સમજાવું તો વિચારો ગુજરીત મા બે કરોડ પાટીદાર સમાજ, સુખી અને સંપન્ન જે શહેરો કે મોટા ગામો માં વસે છે
અને
એની સાથે ગુજરાત માં ૧ કરોડ આદિવાસી જે અંબાજી, સાબરકાઠા, મોડાસા, દાહોદ, ગોધરા, છોટાઊદેપુર, ડાંગ, વલસાડ ના પહાડી વિસ્તાર માં જ વસે છે, મજુર છે, ગરીબ છે
અને
૧૪% અનામત મેળવે છે!
હવે જો ગુજરાત ની કોર્ટ પટેલો ને આદિવાસી ગણવાનો નિર્ણય કરે તો વિચારો “આદિવાસી સમાજ” ની શુ હાલત થાય?
તો એ બળવો કરે જ!
અભણ આદિવાસી બળવો કરે તો બે કરોડ વસ્તી ધરાવતી સક્ષમ પાટીદાર કોમ સામ દામ દંડ ભેદ, પૈસા અને પાવર થી એમનું શું હાલત કરી શકે!
બસ મણીપુર ની “મૈતેય” સવર્ણો ને આદિવાસી ગણવાનું ફરમાન થતાં “કુકિ” આદિવાસી ની શું હાલત થાય!
એટલે પોતાની આર્થીક અને સામાજીક હાલત બચાવવા “કુકી” આદિવાસી ઓ એ બળવો કર્યો!
તો હવે બંન્ને કોમ એક બીજા ના જીવ નીભુખી છે!
મૈતેય ની વસ્તી વધુ છે પોતાની વોટબેંક ઊભી કરવા ભાજપે મણીપુર નો ઈતિહાસ એનુ સોશીયલ બેલેંસ બગાડી દિધું!
આ ઊપરાંત કુકિ આદિવાસી મા મોટો વર્ગ ખ્રીસ્તી બન્યો છે
તો ભાજપ ત્યાં હિંદુ બનામ ખ્રીસ્તી ની રમત રમે છે!
વિચારો માત્ર વોટ લેવા કંઈ હદ સુંધી જઈ શકે આ લોકો.
હવે ગુજરાત ની જેમ ગોધરાકાંડ પછી જે ધ્રુવિકરણ થયું એ જ થશે અને લાંબા ગાળે ભાજપની સત્તા નક્કિ!
આ નગ્ન મહિલાઓ “કુકિ” સમાજ ની છે! આ હિંદુ ધર્મ ના સ્વર્ણ મૈતેય સમાજે મહાભારત નહિ જોયુ હોય દ્રોપદિ ની જેમ ચીરહરણ કરતાં શરમાયા નહિ?
હિંદુ તરીકે શરમ ના આવી??
ના
કારણ આ લોકો હિંદુ નથી માત્ર દલાલ છે પાર્ટી ના!
ત મ દલીતો વિચારજો તમને હિંદુ કે સ્વર્ણ બની ને ફરવાનો બહુ શોખ હોય
તો
એક દિવસ આ જ રીતે અનામત નિકળશે!
તમને આર્થીક રીતે તોડિ કાઢશે ત
મે કુકિ જેટલી જ છો!
જે વિરોધ કરશે તો તમારા બહેન કે મા ની આ જ હાલત કરશે! મણીપુર નો કિસ્સો એ સામાજીક રીતે તમારી પરિસ્થિતિ મુજબ નો જ છે! આજે હિંદુ મુસ્લિમ કરે છ્..વિચારવા જેવી બાબત
******************************************
સંઘપરિવારના મહાભારતની મણિપુરી દ્રોપદીનો
વેદવ્યાસના મહાભારતની દ્રોપદીને પત્ર :
સ્નેહી આદ્ય દ્રૌપદી,
બહેન,તું તો સ્વર્ગમાં,
તને ભરી સભામાં નગ્ન કરવાના પ્રયત્ન માત્રથી
સતીત્વ પ્રાપ્ત કરીને પ્રસ્થાપિત થઈ ગઈ છે.
તું ખરેખર ભાગ્યશાળી છે !
તને તો અનાવૃત કરવાનો માત્ર પ્રયત્ન થયો છે,
તારે તો અનાવૃત થવું પડ્યું નથી.
જોકે એ વાતનો આજે પણ અમને તો આનંદ છે.
દ્રોપદી, આમ જોવા જઈએ તો
તને તો અનાવૃત કરવાનો કૌરવોને ખરેખર હકક હતો,
કેમ કે તને તારા પાંચ પાંડવ પતિઓએ દાવ પર લગાવી હતી.
પરંતુ તારું સદભાગ્ય કે તને તારા કલ્યાણ મિત્ર કૃષ્ણએ
અનાવૃત થતી બચાવી લીધી. અને પાંડવોની કાયરતા તથા કૌરવોની બીભત્સ ક્રૂરતાને કૃષ્ણએ એકલા એ પડકારી બતાવી.
દ્રોપદી,
તારા વસ્ત્રાહરણનો પ્રોગ્રામ તો આયોજનબધ્ધ હતો, અગાઉથી જાહેર કરેલો હતો, નિયમ મુજબનો હતો, તારા કુટુંબ અને તારા ગોત્રના બધા જ વડીલોની હાજરીમાં થયો હતો, તારા પાંચે પતિઓની હાજરીમાં થયો હતો ……… અને તેમ છતાં કૃષ્ણને કારણે તું અનાવૃત થતી બચી ગઈ તે વાતનો આજે 5000 વર્ષ વીતી ગયા છતાં અમે કૃષ્ણને સ્ત્રીઓના કલ્યાણ મિત્ર તરીકે અને તને સતી તરીકે યાદ કરતા રહીએ છીએ અને તમારા બંનેનું પૂજન કરતા રહીએ છીએ. જેનું અમને ગૌરવ છે.
પરંતુ સ્નેહી આદ્ય દ્રૌપદી,
આજે 5,000 વર્ષ પછી આપણી મહાન ભારતીય સંસ્કૃતિમાં, મહાન હિન્દુધર્મમાં અને મહાન ભારત દેશની ધરતી પર મારું વસ્ત્રાહરણ, મારું ચરિત્રહરણ અને મારા પર કેવા કેવા અત્યાચાર થયા છે તેની થોડી વાત તારી સાથે કરવી છે.
સ્નેહી દ્રોપદી,
તને ખબર હશે જ કે મણીપુરની રાજ્ય સરકાર અને આપણા દેશની કેન્દ્ર સરકારે ભેગા મળીને મણીપુરના સામાજિક જીવનમાં સામાજિક ન્યાયની રાજનીતિ સાથે વિધ્વંસક છેડછાડ કરીને , કહો કે ષડયંત્ર આચરીને મણીપુરના બે સમાજો વચ્ચે સામાજિક આતંકવાદ પેદા કર્યો………. અમારા આદિવાસીઓના વિશેષાધિકારોને નષ્ટ કરવા માટે અને અમારા ઉપર અન્ય સમાજના અતિક્રમણને પ્રવૃત્ત કરવા માટે સામાજિક આતંકવાદનો અગ્નિકુંડ પ્રજ્વલિત કર્યો.
સ્નેહી દ્રૌપદી
તને તો ખબર હશે જ કે જ્યારે જાતિવાદના અગ્નિકુંડ અને કોમવાદના અગ્નિકુંડ સમજણપૂર્વક સળગાવવામાં આવે ત્યારે તેમાં આહુતિતો આપણી સંસ્કૃતિમાં આદિવાસીઓ, દલિતો, મહિલાઓ અને શ્રમિકોની જ આપવામાં આવતી હોય છે.
સ્નેહી દ્રોપદી,
મારું મણીપુર છેલ્લા 75 દિવસથી કોમવાદી રાજ્ય સત્તાએ પ્રગટાવેલી અગંજવાળાઓમાં સળગી રહ્યું છે.
છતાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેટનું પાણી હલતું નથી…….. મુખ્યમંત્રી અને વડાપ્રધાન આંખે અને મોઢે પાટા બાંધીને બેઠા છે………. એમને એવું છે કે સળગવા દો મણીપુરને , છેવટે ગમે તે એક વર્ગનો જનાધાર તો પ્રાપ્ત થશે.
સ્નેહી દ્રોપદી,
તારું વસ્ત્રાહરણ તો રાજમહેલમાં તારા પાંચે પતિઓની હાજરીમાં , વડીલોની હાજરીમાં, સજાવી ધજાવીને દિવાબત્તી કરીને નક્કી કરેલા નિયમ પ્રમાણે કરવાનો પ્રયત્ન થયો હતો…….. પરંતુ મારું અને મારા જેવી અનેક અર્વાચીન દ્રોપદીનું અનાવૃતપણું બે રોકટોક થઈ શકે એટલા માટે અને કોઈ પણ હોબાળો ન કરે એટલા માટે ઇન્ટરનેટ બંધ કરીને કરવામાં આવ્યું છે.
તને તો કૃષ્ણએ અનાવૃત થવા જ નથી દીધી, પરંતુ આ સંઘ પરિવારની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે
અરાજક અને આતંકવાદી જાતિવાદી ઉનમાદ પેદા કર્યો
તેના કારણે અમને તો ખુલ્લા રસ્તા પર બંદૂકની નોચ પર સંપૂર્ણ અનાવૃત કરવામાં આવી, અમારી ખુલ્લા રસ્તા પર પરેડ કરાવવામાં આવી, હજાર કૌરવોના ટોળાએ
અમારા ગુપ્તાંગો સાથે છેડછાડ કરી, અમને ખેતરમાં લઈ જઈને અમારા પર બળાત્કાર કરવામાં આવ્યા, મારા સગા ભાઈએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો તો તેની હત્યા કરવામાં આવી ……….. અને છતાં પોલીસ ચૂપ, સરકાર ચૂપ, ન્યાયતંત્ર ચૂપ.
સ્નેહી દ્રોપદી,
તારા વસ્ત્રહરણના બનાવમાં તો તારા પાંચ પતિઓ જવાબદાર હતા અને હાજર હતા પરંતુ મારો પતિતો લશ્કરમાં રહીને દેશના સીમાડા સાચવતો હતો, કારગિલનું યુદ્ધ પણ લડ્યો હતો પરંતુ એ મને બચાવી શક્યો નહીં……
સ્નેહી દ્રોપદી,
5000 વર્ષ પહેલાના તારા વસ્ત્રાહરણની ઘટનાથી લઈને આજે 5000 વર્ષ પછીના મારા વસ્ત્રાહરણની ઘટનાની સરખામણી તું કરી જોજે એટલે તને સમજાશે કે સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાની હિંદુત્વવાદી સરકારે ભારતીય સંસ્કૃતિ, હિંદુધર્મ અને ભારત દેશને ક્યાં પહોંચાડી દીધો છે?
સ્નેહી દ્રોપદી,
સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના નેતાઓ,મુખ્યપ્રધાનો અને વડાપ્રધાન અને સંઘ સર સંચાલકો એવું માને છે કે “જ્યારે આપણી આપણું જાતિવાદી આધિપત્ય પ્રસ્થાપિત કરવું હોય ત્યારે સદગુણ એ વિકૃતિ છે અને તેને અવગણીને બધા જ પ્રકારના દુરાચાર આચરીને પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ”……… હવે તને મારી થયેલી દુર્દશા કેમ થઈ તેનો સાચો ખ્યાલ આવી ગયો હશે.
સ્નેહી દ્રોપદી,
એ વાત સાચી છે કે બળાત્કારી પિતૃસત્તાક આધિપત્યવાદી પુરુષ ચેતના ગમે તે બાહનાઓ શોધીને અને ગમે તે તક પ્રાપ્ત કરીને આપણા પર બળાત્કાર કરી લેતી હોય છે….. પરંતુ મારી જે ઘટના ઘટી છે તે માટેના નિમિત્તનું સર્જન તો સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે સમજણપૂર્વકનો સામાજિક વિગ્રહ નિર્માણ કર્યો છે તે જ છે………….
સ્નેહી દ્રોપદી,
તું તો પૌરાણિક સાહિત્યનું પાત્ર, જ્યારે હું તો
સાંપ્રત સમયની સાક્ષાત અને સાચ્ચી દ્રૌપદી છું……. આખા વિશ્વએ મારી દુર્દશાની નોંધ લીધી છે…….. પૌરાણિક સાહિત્યના કૌરવો અને પાંડવોનો ઇતિહાસ આપણી પાસે નથી, પરંતુ સાંપ્રત સમયના સાચા કૌરવો અને તેમના પીશાચી દુષ્કૃત્યોની જગતમાં નોંધ લેવાઈ ગઈ છે.
સ્નેહી આદ્ય દ્રૌપદી,
તું ભલે દેવી થઈને પૂજાતી રહેતી પરંતુ
હું તો મારા અનાવૃત શરીર,
મારા ગુહ્યાંગોની છેડછાડ,
મારી અનાવૃત પરેડ,
મારા પર થયેલા બળાત્કારો,
મારા ભાઈની થયેલી હત્યા અને
મારા સૈનિક પતિના આક્રંદ સાથે જીવતી રહીશ…….
એક સામાન્ય શોષિત વંચિત ભારતીય નારી તરીકે જ જળવાઈ રહીશ…………
મારે તારી જેમ
સદગુણને વિકૃતિ કહેતા પાખંડીઓ પાસે,
પર સમૂહ ,પર જાતિ ,પર ધર્મની સ્ત્રીઓ પર બળાત્કાર કરવાનું કહેતા પાખંડી શૈતાનો પાસે અને
બળાત્કારીઓ પાસે, દેવી થઈને નથી પૂજાવું.
લી. સાંપ્રત સમયની ભારતીય દ્રોપદી.(ઉમેદ પરમાર)
@@@@@@@@@@@@@@@@@@@@
****ન્યૂઝ ચેનલ સમાચાર લિંક નીચે મુજબ*****
નોંધ.અહી પોર્ટલ માં કોઈપણ જાતના રાગદ્વેષ વિના સમાચાર જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ અપાય છે…છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી