અધિકારીને હક્ક, ફરજ અને લાભ, હિસ્સો આપવા પણ હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો
11,જુલાઈ,2023
Order Dated 10-07-2023 Chintan Vaishnav Mamlatdar
ગુજરાત સરકારે 2019 માં કોઈ ચોક્કસ કારણ આપ્યાં વિના ફરજ મોકુફ કરેલા મામલતદાર ડો. ચિંતન વૈષ્ણવને ફરજ પર પર લેવા માટે ગુજરાત હાઈકોર્ટે તત્કાળમાં આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારને નોકરીમાં પરત લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો અને તેમને સાત દિવસમાં મહેસૂલ વિભાગમાં હાજર કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના હૂકમ પ્રમાણે ડો. ચિંતન વૈષ્ણવનો 9 મે 2013 કચેરી સમય બાદથી સમાપ્ત કરીને તેમને લાંબાગાળાના ધોરણે નિમણૂંક આપવામાં આવશે. બીજી માર્ચ 2019થી આ હૂકમ અન્વયે તેઓ હાજર થાય ત્યાં સુધીની તેમની સેવાઓ સળંગ ગણીને ઉપરોક્ત સમયગાળા દરમિયાન મળવાપાત્ર થતાં લાભોની ચૂકવણી પણ કરવામાં આવશે .
2019માં તેમને ફરજ પરથી તેમને સીધા જ ટર્મિનેટ કરી દેવાયા હતા ત્યારે કોઈ રાજકીય ઇશારે આ પગલું ઉચ્ચ અધિકારી દ્વારા લેવાયું હોય તેવું લાગે છે.અને કોઈ એવું ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નહોતું કે સરકાર પાસે એવા કોઈ તેમની વિરુદ્ધ ઢોસ પુરાવા પણ નહિ હોય.
ગુજરાત સરકારે ફરજમાંથી ટર્મિનેટ કરી નાખેલા મામલદાર ડૉ. ચિંતન વૈષ્ણવને નોકરીમાં પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટે એક મહિના પહેલા જ આદેશ આપ્યો હતો. સરકારને આદેશનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.શ્રી ચિંતન વૈષ્ણવ 2011માં GPSCની પરીક્ષા આપીને મામલતદાર તરીકેનાં હોદ્દો મેળવી ને ગુજરાત સરકાર માં પોતાની ફરજ માં હાજર થયા હતા..તેઓ તટસ્થ,કડક,ઉત્સાહી અધિકારી તરીકેની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવની તેમના કાર્યકાળ દરમિયાન અનેકવાર રાજકીય લોકો ને તાબે નહિંથતા ઉચ્ચ અધિકારી ના આદેશાનુસાર બદલીઓ કરવામાં આવી હતી.
છેલ્લે જ્યારે તેઓ દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા હતા ત્યારે 2 માર્ચ 2019ના રોજ તેમને ફરજ પરથી ટર્મિનેટ કરી દેવાયા હતા જો કે સરકારે કોઈ કારણ પણ જાહેર કર્યું નહતું.
તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.અને તેમને વિશ્વાસ પણ હતો કે તેમની જીત થશે કેમકે મળતી માહિતી અનુસાર તેઓ કાયદાકીય લડત માં કોર્ટ માં પૂરતો સમય ફાળવી સંપૂર્ણ સહકાર આપતા હતા અને તેઓ કહેતા કે મને વાંક ગુના વિના સીધો કોઈક ના ઇશારે ટરમીનેટ કરવામાં આવ્યો છે.અને હું ન્યાયિક લડત લડી ને નોકરી મેળવીને જ જંપીશ..ખુદ વિજયભાઈ રૂપાણી ની સરકારે મહેસૂલ ના ભ્રષ્ટાચાર વ્યાપક છે તેવું સ્વીકાર્યું હતું…તેમ છતાં આવા ન્યાયિક અધિકારી ને સીધા ટરમીનેટ કરીને સરકારે જોહુકમી ન દરશન જાણતા ને કરાવ્યા અને આખરે હાઈકોર્ટ માં સરકાર ને નીચું જોવાનું થયું છે..
ભાજપ શાશન માં મોટા ભાગના કિસ્સા માં લોકો ન્યાય મેળવવા સુપ્રીમ સુધી જઈને પણ સ્ટે લાવવાના ઘણા કિસ્સા બન્યા છે જેમાં નીચલી કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા હતી ગયા બાદ સુપ્રીમ માં જીતી ને લોકો આવેલા છે..
ઈમાનદાર અધિકારી તરીકેની છાપ ધરાવતા દાહોદના પૂર્વ મામલતદાર ડૉ. ચિંતન વૈષ્ણવની હાઈકોર્ટમાં જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે મહેસૂલી અધિકારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હશે.અને રાજકીય લોબી માં પણ સોફો પડી ગયો હતો.પરંતુ સત્તં અનાશામાં ધૂત એવા પત્થર હૃદય ના રાજકીય લોકો હજુ સુધારવા નું નામ નથી લેતા.અને હજુ બફાટ કરી રહ્યા છે કે હજુ તો ઉપર મોટી કોર્ટ છે.
સરકાર ત્રણ મહિનામાં તેમને ફરજ પર લે તેવો આદેશ પણ કર્યો છે. ચિંતન વૈષ્ણવ દાહોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હતા ત્યારે તેમને ટર્મિનેટ કરાયા હતા.ખંભાળિયા મામલતદાર હતા તે સમયે તેમને સસ્પેન્ડ કરાયા હતા.તેઓને યોગ્ય કારણ વગર સરકારે ફરજ મુક્ત કર્યા હતા. રાજ્ય સરકારના નિર્ણય સામે ચિંતન વૈષ્ણવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.
ચિંતન વૈષ્ણવ ને તેમની ફરજ અને લાભ, હિસ્સો આપવા હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે
આખરે તેમની હાઈકોર્ટમાં જીત થઈ છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે ટર્મિનેશન સર્વિસ રૂલને અનુરૂપ નથી ટર્મિનેશન ગેરબંધારણીય છે. જીએડી રૂલ્સના ઠરાવ પ્રમાણે કાર્યવાહી કરાઇ નથી. જેથી ત્રણ મહીનામાં તેમને સર્વિસમાં પરત લેવા અને અગાઉના તમામ પગાર ભથ્થા ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ચિંતન વૈષ્ણવ ફરજ પર હતા ત્યારે કોઈ ખાસ કારણ ન હોવાં છતાં રાજ્ય સરકારે ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ અધિકારીને સસ્પેન્ડ કરવાની માહિતી મળતા અધિકારીઓ અને ન્યાયિક પ્રજામાં પણ રોષ જોવા મળ્યો હતો.હવે જોવાનું રહ્યું કે ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર હાઈકોર્ટ નો આદેશ માની ને ફરજ ઉપર તમામ લાભો આપીને હાઈકોર્ટ સામે નત મસ્તક સ્વીકાર કરીને ચિંતન વૈષ્ણવ ને સરકાર માં તેમની જગ્યાએ હાજર કરે છે કે સરકારી પૈસે હજુ સુપ્રીમ ના દ્વાર ખખડાવે છે..?
નોધ: અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો/ફોટાઓ સોશિયલ મીડિયા તેમજ અન્ય ચોથી જાગીર ના માધ્યમો થી પ્રાપ્ત થયે પ્રસિદ્ધિ જન જાગૃતિ ના ભાગ રૂપે કરવામાં આવે છે.તેમ છતાં કોઈપણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરી તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી