ગાંધીનગર ના ભાગતા ફરતા વિજય રૂપાણી વખત ની સરકાર ના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા ની માઉન્ટ આબુ માં હોવાનીબાતમી ના આધારે ગાંધીનગર પોલીસે સેક્ટર 7 માં થયેલ ફરિયાદ ને આધારે જમીન કૌભાંડ બાબતે વિધિવત ગાંધીનગર પોલીસ દ્વારા.ધરપકડ કરવામાં આવી છે..ફરિયાદ થયા બાદ સરકારે એક કમિટી બનાવી હતી તેમાં પણ લાંગા ને તપાસ ના અંતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા….ગાંધીનગર જિલ્લા ના મુલસણ ખાતે પાંજરા પોળ ના ત્રસ્ત ની જમીન બાબતે ના કૌભાંડ માં લાંગા તેમજ તેમના સ્ટાફ,અને અમુક મળતિયા સંડોવાયેલ તેવા આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી…આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મીડિયાને અને સરકારને તેમનો ખુલાસો આપ્યો હતો. અત્રે એ પણ જાણીએ કે રૂપાણી સરકારની અંદર રહેલા મહેસુલ મંત્રી ને પણ આખી રૂપાણી સરકાર બદલાતા ઘરે જાવાનો વાતો આવ્યો હતો તેમજ મંત્રી પૂર્ણેશ મોદી ને પણ ઘરે જવાનો વારો આવ્યો હતો.પરંતુ પૂર્ણેશ મોદી ને બીજી વાર વિધાયક બનાવવામાં પક્ષ દ્વારા નિર્ણય લેવાયો જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી ને વિધાયક ની ટીકીટ આપવામાં આવી નહોતી..
..હવે આવતીકાલે કોર્ટ માં હાજર કરી રિમાન્ડ મેળવી આગળ ની કાર્યવાહી કરવામાં આવનાર છે..
આ બાબતે મહેસૂલી અધિકારીઓ માં ફફડાટ નો માહોલ છે કેમકે કેટલાક અધિકારીઓ ની ધરપકડ ના ભણકારા વાગી રહ્યા છે..કેમકે હવે આ પ્રકરણ માં કેટલા રાજકારણી અને સરકારી અધિકારીઓ સંડોવાયેલ છે તે બાબતે જો ન્યાયિક પૂછપરછ કરવામાં આવે તો.ઘણા રાઝ ખૂલે તેમ છે.કેમકે ગાંધીનગરમાં વર્ષોથી છૂટાછવાયા રાજકારણીઓના ખભે તૈયાર થયેલા ચકચારી દલાલો નો તોટો નથી.સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લા ના નેતાઓ ના સગાવહાલા તેમજ તેમના મત વિસ્તાર ના કેટલાક લોકો દલાલી ના વ્યવસાય સાથે સંકળાયા અને પાટનગર ને નિવાસ સ્થાન બનાવી દીધું છે..કેટલાક અધિકારીઓ પણ નિવૃત્ત થયા બાદ લાયેઝન ની ઓફીસ ખોલી ને બેઠા છે………જેનો ઉપયોગ નવા નિશાળિયા રાજકીય લોકો પોતાને પદ પ્રાપ્ત થતાં કરી રહયા છે…આવા દલાલો સેક્ટર અગિયાર કોર્ટ કંપાઉન્ડ ની પાછળ,
જેમનો અડ્ડો કલેક્ટર કંપાઉન્ડ.મામલતદાર ઓફીસ હોય છે…અને અધિકારીઓ સાથેની સાંઠગાંઠ થી ભ્રષ્ટાચાર વકર્યો હતો જે રાજકીય ઉચ્ચ નેતાઓ પણ કબૂલ કરી ચૂક્યા છે…છેલ્લા બે મહિના થી એસ.કે. લાંગા ભાગતા ફરતા હતા…તેમના ઉપર ફરિયાદ થયેલી હતી.અપ્રમાણસર મિલકત તેમજ બિનખેતી જમીન કર્યા ના તેમના ઉપર આરોપો છે..આખરે તેઓ રાજસ્થાન માઉન્ટ આબુ ખાતેથી ગાંધીનગર પોલીસ ના હાથે પકડી પાડવામાં આવ્યા… તપાસ થયા બાદ ખબર પડશે…