ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ
પ્રેસનોટ- 1930/07/2023 તા:10/07/2023
વડોદરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી..આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો
—-
ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જે રીતે પેજ સમિતિનું કામ કર્યુ છે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. – શ્રી જે.પી.નડ્ડા
—
મોદી સાહેબની સરકારમાં સેનાના સાઘન સામગ્રીમાં વધારો કરવામાં આવ્યો છે અને આજે મોટાભાગના સાઘનો ભારતમાં તૈયાર થાય છે. – શ્રી જે.પી.નડ્ડા
—-
આજે ગુજરાત ગુડ ગવર્ન્સમાં નંબર એક પર, લોજિસ્ટિક પર્ફોર્મન્સ માં ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એક્સ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે. – શ્રી જે.પી.નડ્ડા
—-
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પાંચ લાખ મતોથી જીતે તેમજ બહુમતી સાથે ફરી એક વાર મોદી સરકાર બને તે માટે સંકલ્પ કરાવતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ
—-
આજે વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસ જાય છે ત્યારે તેમને જે માન સન્માન મળે છે તેનાથી દેશનું ગૌરવ વધે છે અને વિદેશ પ્રવાસથી સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ વડોદરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી..આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરના પ્રમુખશ્રી ડો.વિજયભાઇ શાહે પ્રાંસગીક સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ એક એવી પાર્ટી છે જે કહી શકે છે કે તે માત્ર રાજનીતી જ નહી રાજનીતી સાથે સમાજ માટે સેવાભાવ સાથે ઉભી રહે છે. કોરોના જેવી મહામારીમાં ભાજપા સિવાય કોઇ પાર્ટીના કાર્યકરો જનતા સાથે જોવા મળ્યા નથી. કોરોના જેવી મહામારીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની નિર્ણય શક્તીથી દેશ આજે સુરક્ષીત છે કારણ કે અમેરિકા,યુરોપ,જાપાન જેવા દેશ પણ કોરોના વખતે નક્કી ન કરી શક્યુ કે માનવતા મહત્વની છે કે દેશની આર્થિક સ્થિતિ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોરોનાના વધતા કેસ સમયે દેશમાં સમયસર લોકડાઉન કર્યુ. કોંગ્રેસના સમયમાં રોગ સામે મળતી રસી માટે વર્ષો લાગતા પરંતુ કોરોનાની મહામારીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને એક નહી બે-બે રસી આપી તે પણ વિનામુલ્યે. રશિયા અને યુક્રેન યુદ્ધ સમયે દેશના વિદ્યાર્થીઓને સલામત રીતે ભારત પરત લાવ્યા છે. કુદરતી આફત સમયે સરકાર સમય સર નિર્ણય કરે છે તે સેવા અને સુશાસનનું ઉદાહરણ છે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, મોદી સાહેબની સરકારમાં સેનાની સાઘન સમગ્રીમાં વધારો કરવામાં આવ્યો છે અને આજે મોટાભાગના સાઘનો ભારતમાં તૈયાર થાય છે. કોરોના તેમજ યુક્રેન-રશિયાના યુદ્ધ સમયે વિશ્વના દેશો આર્થિક સંકટમાં આવ્યા પણ ભારતમાં મોદી સરકારે દેશની આર્થિક સ્થિતિ સુધારી છે. રાજકીય નેતાઓની નીતી અને નીયતથી દેશને કેટલો ફાયદો થાય છે તે જનતાને સમજવું જોઇએ. પહેલા મોટાભાગના મોબાઇલ ફોનના પાર્ટ ચાઇનાથી આવતા જ્યારે મોદી સરકારમાં 97 ટકા પાર્ટ ભારતમાં બને છે. કોરોના જેવી મહામારીમાં ભારતની ગરીબી 22 ટકાથી ઘટી 10 ટકા રહી છે અને અતી ગરીબી એક ટકાથી પણ ઓછી થઇ છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજનીતીની પરિભાષા બદલી છે, પહેલા જાતિવાદ,પરિવાદ,વંશવાદની રાજનીતી થતી આજે વિકાસની રાજનીતી કરવા રાજકીય પાર્ટીઓને મજબૂર કરી છે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, મોદી સરકારમાં આજે નેશનલ હાઇવે, ભારત માલા,વંદે ભારત ટ્રેન,મેટ્રો ટ્રેન,એરપોર્ટનું કામ ઝડપથી થઇ રહ્યું છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાં એક મોટી હોસ્પિટલ બની રહી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી આજે સરકાર દર્દીઓને સારવાર માટે પાંચ લાખ રૂપિયા આપે છે. આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલુ સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યું, આજે ગુજરાત ગુડ ગવર્ન્સમાં નંબર એક પર,લોજીસ્ટીક પર્ફોર્મ્ન્સ માં ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એકસ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે.વર્ષ 2047માં ભારતને વિકસીત બનાવવાનું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જે રીતે પેજ સમિતિનું કામ કર્યુ છે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સાહેબ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે. આવૌ સૌ સાથે મળી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને આગળ લઇ જઇએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ કાર્યકર્તાઓને આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પાંચ લાખ મતોથી જીતે તેમજ બહુમતી સાથે ફરી એક વાર મોદી સરકાર બને તે માટે સંકલ્પ કરાવ્યો.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ થકી વિવિધ કાર્યો કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસની રાજનીતી કેવી હોય તેનું ઉદાહરણ આપ્યું છે. આજે વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસ જાય છે ત્યારે તેમને જે માન સન્માન મળે છે તેનાથી દેશનું ગૌરવ વધે છે અને વિદેશ પ્રવાસથી સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગરીબ અને છેવાડાનો માનવી ને ધ્યાને રાખી યોજનાઓ જાહેર કરી અને તેનો લાભ તેમને મળે તેનું ધ્યાન રાખ્યું છે. લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠક જીતી મોદી સાહેબનો હાથ વધુ મજબૂત કરીએ.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીઓ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી મનસુખ ભાઈ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા, મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી જ્યોતિબેન પંડયા, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણ શુકલ, વડોદરા શહેર મેયરશ્રી નીલેશભાઈ રાઠોડ, વડોદરા શહેર પ્રમુખશ્રી ડૉ.વિજયભાઈ શાહ, વડોદરા જિલ્લા પ્રમુખશ્રી સતિષભાઇ નિશાળીયા, ધારાસભ્યશ્રીઓ, મહામંત્રીશ્રીઓ સહિત મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મીડિયા કન્વીનર)
************************************
નોધ: કોઈપણ રાગદ્વેષ વિના અહી સમાચારો,ફોટા સોશિયલ મીડિયામાં પ્રાપ્ય થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ પણ વાચક ને કંઇપણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર દૂર કરી શકાશે….તંત્રી