*🙏🏻શ્રી પાંડુરંગ દાદાના વિચારો અનુસાર નરેન્દ્ર મોદીના કાર્યો દેખાય છે*
*દાદાજીએ કહેલું છે કે રાજા વિષ્ણુનું રૂપ છે,*
*લોકતંત્ર માં જનતા એ જ રાજા હોવાથી જનતા વિષ્ણુનું રૂપ છે. મોદી “જનતા જનાર્દન” શબ્દ વાપરે છે. મોદી દાસ્ય ભાવથી જનતા જનાર્દનની સેવા કરે છે, એટલે જ પોતાને પ્રધાન સેવક કહે છે. પ્રધાન મંત્રી નહિ.*
*દાદાજીએ શ્રીસુક્તમ પુસ્તક માં કહેલું છે, બધી ભારતની નદીઓ પર જો બંધ બાંધવામાં આવે તો ભારતની પાણીની સમસ્યા હલ થઈ જાય.*
*મોદીએ વર્ષોથી રોકાયેલું નર્મદાનું કામ પૂરું કરવાનો નિર્ણય ૨૦૧૪ માં પ્રધાનમંત્રી બન્યા ના ત્રીજા જ દિવસે આપી દીધો.*
*બીજા ઘણા નવા બંધ બાંધવાના કામ પણ શરૂ કર્યા છે.*
*દાદાજી કહે છે, રક્ષા નીતિ ડીફેન્સિવ નહિ પણ આક્રમક હોવી જોઈએ. મોદી એ તે કરી બતાવ્યું, અત્યારે પાકિસ્તાન POK અને બલુચિસ્તાનમાં ભારતના હસ્તક્ષેપ નો ઢંઢેરો પીટી રહ્યું છે. મ્યાનમાર પર અને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક, અને બાલાકોટ એર સ્ટ્રાઈક આક્રમક રણનીતિના પુરાવા છે.*
*દાદાજી કહે છે સામ્યવાદ માં કર્મ પ્રેરણા નો પ્રશ્ન છે, મૂડીવાદ માં have અને have not ની ખાઈ વધે છે.*
*લોકોનું લેવલ જોઈને મોદીએ તેના ઉપાય તરીકે, ભગવાનના ધનિક દીકરાઓ પર ટેક્સ વધાર્યો છે અને નાના વેપારીઓ પર ૨૦ લાખ ના ટર્ન ઓવર સુધી સેલ્સ ટેક્સ લેવાનું જ બંધ કરી દીધું છે. (પહેલા આ લિમિટ ૫ લાખની હતી) ઈનકમ ટેક્સ પણ ૫ લાખથી વધુ નફો કરનાર નો જ લે છે. (અગાઉ આ લિમિટ ૨.૫ લાખ હતી) અને ધનિકો પાસેથી એકઠા કરેલા રૂપિયા મોદી ગરીબો કલ્યાણ માટે વાપરે છે. ગરીબોના આરોગ્ય માટેની, વીમા માટેની, જીવન જરૂરી વસ્તુઓ સસ્તી કરવા માટે, દવાઓ સસ્તી કરવા માટે, અને આવા અનેક ગરીબ માટેના કામો ની યોજનાઓ મોદીએ શરૂ કરી છે. જેથી have and have not ખાઈ પણ ઓછી થાય અને કર્મ પ્રેરણા પણ ઘટે નહિ. કર્મ પ્રેરણા વધારવા માટે પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા ઘણા કામો મોદીએ શરૂ કર્યા છે.*
*દાદાજીએ કહ્યું છે કે, અમેરીકા એ પ્રલોભન આપીને (ઇન્સેંટિવ આપીને) લોકોને કર્મરત કર્યા, રશિયા એ ભય બતાવીને ( કામચોરને મૃત્યુ દંડ જેવી સજા)* *લોકોને કર્મરત કર્યા જેના પરિણામે તે દેશો એ વિકાસ કર્યો, ભારત પાસે પ્રલોભન આપવા જેટલું ધન ન હતું અને કમૅચિરની કતલ કરવાની આપડી સંસ્કૃતિ નથી, એટલે ત્રીજો વિકલ્પ હતો ભક્તિ દ્વારા લોકોને કર્મરત કરવાનો પણ તે ઉપાડ્યો નહિ.*
*મોદીએ આ દેશમાં વિવિધ ભગવાન ને માનનારા વિવિધ ધર્મ – સંપ્રદાયના લોકો હોવાથી ભગવદ્દ ભક્તિ ના બદલે રાષ્ટ્રભક્તિ -* *ભારતમાતાની ભક્તિ ઉપાડી અને લોકો ને કર્મરત કર્યા. (મે ભી ચોકીદાર હું..)*
*(કોરોના માટે ના પ્રધાન મંત્રી કેર ફંડ માં જે કરોડો રૂપિયા આવ્યા છે, તે મોદીએ જગાડેલી રાષ્ટ્રભક્તિ ની સાબિતી છે)*
*દાદાજી કહે છે,* *”राजा कालस्य कारणम्”*
*૨૦૧૪ પછી આ દેશમાં જે પરિવર્તન આવ્યું છે તેનું કારણ આ આપણો આ કૃષ્ણને આદર્શ માનનારો લીડર છે.*
*મોદી છે ત્યારથી લોકોના ચારિત્ર્યમાં ઘણો બદલ છે, ભ્રષ્ટાચાર ઘટયો, સિનેમા માં પણ મસાલા મૂવી ઘટી અને રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંકૃતિં ને વ્યક્ત કરનારી મૂવી વધી જેમકે ચાર સાહેબ જાદા, કેસરી, તનાજી, મિશન મંગળ, પરમાણુ ઇત્યાદિ નું ઘણું લાંબુ લિસ્ટ છે. આખિંદુનિયામાં ભારતીય સંસ્કૃતિ નો પ્રભાવ વધ્યો, પુસપેન્દ્ર કુલશ્રેષ્ટ જેવા અનેક સંકૃતિનાં સૈનિકો મોદીની છત્રછાયામાં તૈયાર થયા, સોશીયલ મીડિયામાં અનેક આવા સંસ્કૃતિના સૈનિકોને કામ કરતા તમે જોયા હશે. સ્વાર્થ થી ઉપર વિચાર કરવાની હિંમત રાખનારા કેટલા વધ્યા છે, તે કોરોના માટે મોદીએ જાહેર કરેલ pm care fund ma લોકોએ કેટલા રૂપિયા નાખ્યા છે તેના ઉપરથી ખબર પડી જાય છે. ડોકટરો અને પોલીસ જેવા કોરોના સામે લડનારા માટે કૃતજ્ઞાતાનો માહોલ (થાળી વગાડી ને કે દિવડા પ્રગટાવીને કે કૃતજ્ઞતા વ્યક્ત કરી તે) તો તમે જોયો જ છે. (રોગ તો અગાઉ પણ આવેલા છે, પણ આવો માહોલ અગાઉ ક્યારેય નથી થયો)*
*બીજા કેટલાક કામ પેન્ડિંગ છે જેમકે,*
*દાદાએ વિજીગીશું જીવનવાદ પુસ્તકમાં તરચંદની કમિટી દ્વારા ખોટો ઈતિહાસ લખાયો છે તેમ કહ્યું છે.*
*મોદી સરકાર ઇતિહાસના પુનરલેખન પર કામ કરી રહી છે.*
*પ્રમાણ તરીકે આ વિડીયો જુઓ.*
*દાદાજી એ કહ્યું છે, *બધી ચૂંટણીઓ એક સાથે કરી દેવી જોઈએ.*તેના પર પણ નરેન્દ્રભાઇ પ્રયત્નશીલ છે.*
*પ્રમાણ તરીકે આ વિડીયો જુઓ.*
*દાદાજી એ દેશના બધા સમૂહો મુખ્ય ધારાથી જોડાયા નથી તેમ કહી વ્યથા વ્યક્ત કરી છે,*
*મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પણ લાવવાં માટે પ્રયત્નશીલ છે.*
*આવા બીજા પણ ઘણા કામો હશે જે મારા ધ્યાનમાં ના આવ્યા હોય.*
*વર્ષો પછી કોઈ વેદ ને નમસ્કાર કરનારો, ગીતા ભેટ કરનારો, વિવેકાનંદ જેવાનો ચાહક, દાદાના વિચાર ઉપાડનારો, કૃષ્ણને આદર્શ માનનારો, સંસદને મંદિર કહેનારો, પોતાને પ્રધાન સેવક કહી દાસ્ય ભાવથી ભારત માતાના સંતાનોની સેવા કરનારો, સંકોચ રાખ્યા વગર* *ભારતની સંસ્કૃતી પર ગર્વ રાખનારો આ દેશનો લીડર છે.*
*વિદેશની ધરતી પરથી પણ તે નિર્ઘોષ કરતો રહે છે કે,* *”અમે वसुधैव कुटुम्बकम् માં માનનારા છીએ. અમે एकं सत् विप्राः बहुधा वदन्ति માં માનનારા છીએ”*
*દાદાએ ગીતામૃતમ ના નવમા અધ્યાયમાં*
*सततं कीर्तयन्तो मां यतान्तश्च द्रढ व्रत:*
*પર બોલતી વખતે કહ્યું છે કે આવો ભક્ત न कामये राज्यं न स्वर्गं – कामये प्राणिनां आर्तिनाशनम्। આવો હોય.*
*અર્થાત્ મને રાજ્ય કે સ્વર્ગની કામના નહિ પણ બધા જીવોના દુઃખના નાશની કામના છે. ખરો ભક્ત આવો હોય.*
*મોદી પણ આ જ કર્મ પ્રેરણા થી કામ કરે છે. આ વિડીયો માં જુઓ.*
*આટલા કર્મરત રહેવા છતાં મોદી પ્રભુનું ધ્યાન કરવાનું ભૂલતા નથી.*
*નરેન્દ્ર મોદીના બધા ગુણોને હું શબ્દોથી વ્યક્ત નથી કરી શકતો, જે કંઈ વ્યક્ત કર્યું છે, તે ઘણું ઓછું છે. હિમાલય જેવા એમના વ્યક્તિત્વને સ્પર્શ કરીને પવિત્ર બનવાનો આ નાનો પ્રયત્ન તેમના ચરણોમાં અર્પણ.*
*આ લેખથી દાદાજીએ આપેલા મારા આત્મીય* *સ્વાધ્યાયપરિવારના ભાઈઓ અને બહેનો ને નરેન્દ્ર મોદીના જીવન વિશે કોઈ ગેરસમજ થઈ હોય તો દૂર થઈ શકે તે માટે આ લેખ લખ્યો છે.*
*દાદા રુદયસ્થ થયા ત્યારે બધા કાર્યક્રમો રદ કરીને નરેન્દ્ર મોદી તત્વજ્ઞાન વિદ્યાપીઠ આવ્યા હતા.*
*બ્રહ્મર્ષિ દાદાજીને અને રાજર્ષિ નરેન્દ્ર મોદી ને મારા નમસ્કાર.*
*લખનાર,*
*શ્રી પાંડુરંગ દાદાના જીવન પ્રજ્ઞા વિદ્યાલયનો વિદ્યાર્થી.*
*(આ કોઈ બીજેપી વાળાએ પ્રચાર માટે નથી લખ્યું તે કહેવાં માટે લેખક વિશે આટલી માહિતી આપી)*
*(નોંધ – હું નરેન્દ્ર મોદીને આધુનિક ભારતના રાજર્ષિ માનું છું. મારો કોઈ દાવો નથી કે તેઓએ કોઈના વિચાર ઉપાડ્યા છે, સત્ય સર્વત્ર સમાન છે, તેથી તેવું લાગે છે, પરંતુ હકીકતમાં તે સ્વતંત્ર પ્રજ્ઞા વાળા વ્યક્તિ છે.)🙏🏻*