- 16 JAN FARIYAD PDF-1 NG-16-3-2025 pdf NG-17-3-2025 pdf Ng-18-03-2025 pdf NG 19 -3-2025 pdf NG-20-3-2025 pdf NG-21-3-2025 pdf NG-22-3-2025 pdf (1) jan faryad pdf NG 23-3-2025 pdf-1 NG 24-3-2025 pdf NG-25-3-2025 pdf NG-26-3-2025 pdf NG-27-3-2025 pdf
*નડિયાદ ખાતે “ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર.”
*********
*મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી ત્રણ નમૂના લઈ આશરે રૂ. ૮.૭૫ લાખનો ૩૧૦૦ કિગ્રાથી વધુનો જથ્થો જપ્ત કરાયો*
******
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
શ્રી કોશિયા એ ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડીઆદ દ્વારા તારીખ: ૨૬/૦૩/૨૦૨૫ના રોજ મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ, બ્લોક ૮૯૩-૧-૨, ગોડાઉન નં. ૩ મુ. સલુણ તળપદ તા. નડીઆદ જી.ખેડા ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢી ના જવાબદાર શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખી સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ), ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા શ્રી દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ ૧૫ કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૧૫૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૫.૨૫ લાખ), બટર ઓઈલ નો ૧૬૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૩.૫ લાખ) અને ઘી ની ફ્લેવર નો ૧ લીટર જથ્થો (કિંમત: રૂ. ૩૬૦૦) એમ કૂલ ૩૧૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૮.૭૫ લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ૩ (ત્રણ) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળ ની ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ નં. ૧૦૭૨૧૦૧૨૦૦૦૧૫૧ નુ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળ માટેના બે અલગ-અલગ એડજ્યુડીકેશન કેસમાં અધિક નિવાસી કલેકટર, ખેડા દ્વારા રુ. ૨ લાખનો દંડ ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.
*********
[3/25, 3:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ૯૭ ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
****************
*છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે*
****************
રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.
રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-૨૦૨૫માં મહત્તમ વીજમાગ ૧૦,૧૦૭ મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં, મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.
આ પ્રકારે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે કુલ રૂ. ૮૮૧૦ કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ફેબ્રુઆરી -૨૦૨૫ સુધીમાં કુલ રૂ.૪૪૧૨.૭૨ કરોડના ખર્ચે ૩,૭૫૩ સર્કિટ કિ.મી. વીજરેષાઓ તથા ૩૪ નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
************
[3/25, 4:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં, અત્યાર સુધી 1.4 કરોડ કોલને પ્રતિસાદ મળ્યો*
****
*વર્ષ 2019માં તમામ ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર સાત જિલ્લામાં જાહેર કરવામાં આવ્યો હતો*
****
*500 જનરક્ષક પીસીઆર વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે, કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓનું રિયલટાઇમ મોનિટરિંગ થશે*
****
*ગાંધીનગર, 25 માર્ચ, 2025:* ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે.
*કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી રિયલટાઇમ મોનિટરીંગ*
આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તેમજ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ સેન્ટરમાંથી તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ થઇ શકશે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું મોનિટરીંગ સ્વતંત્ર રીતે કરી શકાશે. ડિજીટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારીને આ સેવાને વધુ પ્રભાવી બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
*500 જનરક્ષક પીસીઆર વેનની ફાળવણી, કર્મચારીઓને તાલીમ*
જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી 500 જનરક્ષક પીસીઆર વેન ફાળવવામાં આવશે. ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઇમમાં ડિજીટલ અપડેશન સહિત ઇમરજન્સી રિસ્પોન્સ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.
*અત્યાર સુધી સાત જિલ્લામાં 1.49 કરોડ કોલ્સને સફળ પ્રતિભાવ*
19 ફેબ્રુઆરી, 2019ના રોજ કાર્યરત થયા પછી, ERSS-112 અંતર્ગત ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે જેમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. અત્યારે સાત જિલ્લાઓમાં એવરેજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ 26 મિનટ અને 59 સેકન્ડનો છે.
*x-x-x*
[3/25, 4:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ*
——-
*રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત*
——–
*મુખ્યમંત્રીશ્રીના હસ્તે GARCની વેબસાઈટનું લોન્ચિંગ- ભલામણ અહેવાલ વેબસાઈટ પર ઉપલબ્ધ*
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સુશાસન ક્રાંતિને આગળ ધપાવીને રાજ્યમાં ગુડ ગવર્નન્સની દિશા અપનાવી છે.
મુખ્યમંત્રીશ્રી આ હેતુસર રાજ્યના વહીવટી માળખા તથા કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને કરવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શક કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ આ GARCએ પૂરું પાડ્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચની બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ પંચનું ગઠન કરી દેવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ GARCએ જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.
GARCએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના આ પ્રથમ ભલામણ અહેવાલમાં રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિ માટે ખૂબ અસરકારક ભલામણો સરકારને કરી છે.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તથા અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની અને અગ્ર સચિવશ્રીઓ સુશ્રી મોના ખંધાર, ટી. નટરાજન તેમજ સભ્ય સચિવ શ્રી હારિત શુક્લાના સમાવેશ સાથેના આ ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં સરકારી મિટિંગોની કાર્યક્ષમતા વધારવા અને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઈન બહાર પાડવાની ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવર્તમાન વહીવટી સમસ્યાઓ સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓના અનામી રીતે પ્રતિભાવો-ફિડબેક મેળવવા, ઈન્ફો-ટેક્ અને આઈડિયાઝ બોક્સની વ્યવસ્થા અને ક્યુઆર કોડ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓફિસમાં યોગ્ય જગ્યાએ પારદર્શી બોક્સ મુકવાની બાબતોનો સમાવેશ થાય છે.
સ્વચ્છ ભારત અભિયાનને વેગવાન બનાવવા કચેરીઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાની ઉચ્ચ સ્થિતિ જળવાઈ રહે તે માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવા અને પ્રોફેશનલ એજન્સીની સેવાની ભલામણ પણ GARCના અહેવાલમાં કરાઈ છે.
સામાન્ય જનતા અને નાગરિકો સરકારી કચેરીમાં સંબંધિત વિભાગ-અધિકારી સુધી સરળતાએ પહોંચી શકે તે માટે કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગેની સ્પષ્ટ વિગતો સાથે સ્ટાન્ડર્ડ સાઈનેજ બહુભાષી લખાણમાં રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GARCના પંચની નવી વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. GARCએ રાજ્ય સરકારને કરેલી આ સહિતની ભલામણોનો પ્રથમ અહેવાલ પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં પંચ દ્વારા એવી કાર્યપ્રણાલી વિકસાવવામાં આવી છે કે, જેમ-જેમ GARC પોતાના ભલામણના અહેવાલ તૈયાર કરશે તેમ સમયાંતરે આ અહેવાલો રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
આ ઉપરાંત GARC એ એક નવતર અભિગમ અપનાવીને સામાન્ય નાગરિકો તથા કર્મચારીઓ પાસેથી પણ વહીવટી સુધારણા અંગે કમિશનની વેબસાઈટ પર સૂચનો મંગાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એટલું જ નહિ, લોકો પાસેથી સૂચનો અને સુઝાવો મળે તેવી અપેક્ષા પણ GARC એ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને GARCના આ પ્રથમ ભલામણ અહેવાલ સુપ્રત કરવા અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠોર, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને GARCના સભ્ય સચિવ શ્રી હારિત શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
——-
[3/25, 4:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્પીપા-ગાંધીનગર ખાતે આવતીકાલ તા. ૨૬ માર્ચના રોજ “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે*
********************
*વર્કશોપમાં FPOs, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ સહિત કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો સહભાગી થશે*
************************
સ્પીપા-ગાંધીનગર ખાતે આવતીકાલ તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. તેમજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ના અધ્યક્ષ શ્રીમતી એસ. અપર્ણા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી ઉપસ્થિત રહેશે.
ગુજરાતના વિકાસને વેગ આપી શકે તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખવા એ GRITનો મુખ્ય ઉદ્દેશ્ય છે. “પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ” પણ એવું જ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જે કૃષિ વેસ્ટને ઘટાડીને તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આ દિશામાં ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે GRIT દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી આ મહત્વકાંક્ષી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ગુજરાતની પોસ્ટ-હાર્વેસ્ટ સંભાવનાને વધારવામાં તેમજ પોસ્ટ-હાર્વેસ્ટ વેલ્યુ ચેઇનને મજબૂત કરવાની દિશામાં આગવી પહેલ પૂરવાર થશે.
ગુજરાતમાં પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા આ વર્કશોપમાં વિશેષ રૂપે – ૧. હાર્વેસ્ટીંગ એન્ડ હેન્ડલિંગ ઓફ એગ્રી પ્રોડ્યુસ, ૨. પેકેજિંગ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ તથા ૩. માર્કેટિંગ એન્ડ કન્ઝ્યુમર ટ્રેન્ડસ જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનોના સંચાલન, માળખાકીય સુવિધાઓ, સંગ્રહો અને માર્કેટિંગમાં આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલો અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવશે.
આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs), ઉદ્યોગ નિષ્ણાતો, એગ્રીગેટર્સ, કૃષિ સેવા પ્રદાતાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, કૃષિ યુનિવર્સીટીઓ, સ્વ સહાય જૂથો અને કૃષિ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. આ વર્કશોપનો હેતુ નવીન ટેક્નોલોજી પર સહયોગ માટે માળખાકીય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ લિન્કેજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જે પોસ્ટ-હાર્વેસ્ટ સપ્લાય ચેઇનમાં રહેલી ખામીઓને દૂર કરવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
**********************
[3/25, 5:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત પેટે બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ*
———-
*છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વીજ બીલમાં રાહત પેટે કુલ રૂ. ૪,૫૦૪ કરોડ કરતા વધુ સબસિડી અપાઈ*
———-
*ખેડૂતોને વીજબીલમાં રાહત માટે અપાતી સબસીડીમાં છેલ્લા બે દાયકામાં લગભગ પાંચ ગણો વધારો*
———-
આજે વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત માટે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૮,૨૩૩ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ એમ બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી આપવામાં આવી છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વીજ બીલમાં રાહત પેટે કુલ રૂ. ૪૫૦૪.૧૫ કરોડ સબસિડી આપી છે.
ઊર્જા મંત્રીશ્રીએ વિવિધ વીજદર વિશે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતો માટે હોર્સ પાવર અને મીટર આધારિત એમ બે પ્રકારના વીજદર અમલી છે. જે અંતર્ગત હોર્સ પાવર આધારિત વીજ બીલ ભરતા ખેડૂતોએ ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા વીજ દર રૂ. ૨,૪૦૦ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષની જગ્યાએ રૂ. ૬૬૫ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરથી વીજ બીલ ભરપાઈ કરવાનું રહે છે. આ તફાવતની રકમ રૂ. ૧,૭૩૫ પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ ખેડૂતો વતી રાજ્ય સરકાર સબસીડી સ્વરૂપે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડને ચૂકવે છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને ફયુઅલ સરચાર્જ અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરપાઈમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને ૧૪ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે અને હાલમાં આ જોડાણની સંખ્યા ૨૦ લાખથી વધુ છે. વીજબીલમાં રાહત માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૯,૭૭૧ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આમ ખેડૂતોને વીજબીલમાં રાહત માટે અપાતી સબસીડીમાં છેલ્લા બે દાયકામાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. તદુપરાંત છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મીટર આધારિત વીજ બીલ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને વીજ બીલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જનો દર અગાઉ હોર્સ પાવર દીઠ માસિક રૂ. ૨૦ હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. ૭.૫ હોર્સ પાવર સુધીના વીજ ભાર માટે પ્રતિ હોર્સ પાવર માસિક ફીક્ષ ચાર્જ રૂ. ૧૦ તેમજ ૭.૫ હોર્સ પાવરથી વધુના વીજ ભાર માટે રૂ. ૫ પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ કરવામાં આવ્યો છે. આમ, મીટર આધારિત વીજ બીલ ભરતા ખેડૂતોને વીજબીલમાં ભરવાના થતાં ફીક્ષ ચાર્જમાં ૫૦ થી ૭૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં મીટર ધરાવતા કુલ ૧,૦૭,૨૭૩ કૃષિ વીજ ગ્રાહકોને ભરવાના થતાં ફિક્સ ચાર્જમાં રૂપિયા રૂ. ૬૫.૩૦ કરોડની રાહત આપવામાં આવી છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
———
[3/25, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના
*રૂ.૨.૦૭ કરોડથી વધુ નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ મૂળ માલિકને પરત કર્યા*
*કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો કોઈ ફેક એપ્લિકેશન અને ઓટીપી ફ્રોડ જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ઠગાઈનો શિકાર બન્યું હતું*
…..
ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકોએ ગુમાવેલા નાણાં રિફંડ મેળવવામાં આવ્યા છે. આ નાણાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેક એપ્લિકેશન, બોગસ લિંક, ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓટીપી ફ્રોડ જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના નાગરિકોએ ગુમાવ્યા હતા. સાયબર ઠગાઈનો શિકાર બનેલા આ ૯ વ્યક્તિઓને આજે આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૨.૦૭ કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે.
રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે.
‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે. આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચીજવસ્તુઓ પરત મળે તેવા પ્રયત્નોની ફલશ્રુતિ છે.
‘તેરા તુજકો અર્પણ’ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે, જે રાજ્યના નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી રહ્યું છે.
આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઈમના આઈ.જી.પી શ્રી પરીક્ષિતા રાઠોડ, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના એસ.પી. શ્રી ધર્મેન્દ્ર શર્મા અને ભરતસંગ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.
…
[3/25, 5:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ૯૭ ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
****************
*છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે*
****************
રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.
રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-૨૦૨૫માં મહત્તમ વીજમાગ ૧૦,૧૦૭ મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં, મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.
આ પ્રકારે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે કુલ રૂ. ૮૮૧૦ કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૩૮૫૯ કરોડના ખર્ચે ૩૬૪૯ સર્કિટ કિ.મી. વીજરેષાઓ તથા ૩૪ નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
************
[3/25, 5:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે: કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*****
• ન્યાયિક પ્રક્રીયાને વેગ આપવા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ સ્થાપવામાં આવશે
• રાજ્ય સરકારની વિનંતીને આધારે નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતોને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના ૧૧/૦૨/૨૦૨૫ના રોજ અપાઇ
• રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ ૫૯૫ સ્પેશિયલ કોર્ટની કાર્યરત
• છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ ૧૮,૪૧,૦૧૬ કેસોનો નિકાલ
• ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ મુજબ એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ.૩૯ કરોડની ચુકવણી કરાઈ
********
*વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર*
********
વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ઉતરાખંડ બાદ સમાન સિવીલ કૉડ લાગુ કરનારૂ ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ન્યાયિક પ્રક્રીયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલની જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસીપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે.
મંત્રીશ્રીએ ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંગે જણાવતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિઝીટલાઇઝેશનની સુવિધાઓ ઉભી કરવા રૂ.૨૭.૮૪ કરોડની જોગવાઇ કરાઈ છે.
ફાસ્ટ્રેક કોર્ટ વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ ૧૮,૪૧,૦૧૬ કેસોનો નિકાલ કરાયો છે.
ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત કરી છે. હાઈકોર્ટના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ ૫૯૫ સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.
*ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ મુજબ એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ.૩૯ કરોડની ચુકવણી કરાઈ છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.*
કાયદા મંત્રી શ્રી પટેલે કહ્યું કે, નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે અમારી પ્રાથમિકતા છે. ન્યાયની કાર્યવાહીમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અલગ અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન ૧૦ કોર્ટ બિલ્ડીંગ માટે રૂ. ૭૩.૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હાઇકોર્ટના પરામર્શમાં રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં એટ્રોસીટી એક્ટ અંતર્ગત એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ ૧૬ અને ડેસિગ્નેટેડ સ્પેશિયલ કોર્ટ ૫૯ એમ કુલ ૭૫ કોર્ટોની સ્થાપના કરાઈ છે
છેલ્લા એક વર્ષની અંદર ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા એટ્રોસીટી એક્ટ અંતર્ગત કુલ ૧૧૭૧ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.
*નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની વિનંતીને આધારે તમામ ડિસ્ટ્રિક્ટ અદાલતો ને એટ્રોસીટી એક્ટના કેસો ઝડપથી ચલાવી અને નિકાલ કરવાની સૂચના તારીખ-૧૧/૦૨/૨૦૨૫ના રોજ આપવામાં આવી છે*
વિધાનસભા ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
**********
[3/25, 6:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
………………….
*રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો*
………………….
*અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે, જે મગજ, નર્વસિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે – આરોગ્યમંત્રીશ્રી*
………………
*પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે*
………………
*-: આરોગ્યમંત્રીશ્રી :-*
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર , હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા ત્રણ રેડિયોથેરાપી સેન્ટર કાર્યરત થશે
યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત થશે
દવાઓના નમુના ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવવા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે નવીન લેબ સ્થપાશે
ખાદ્ય પદાર્થોના નમુના ચકાસવા માટે મહેસાણા, વલસાડ અને જુનાગઢ જિલ્લામાં નવીન લેબ સ્થાપવામાં આવશે
રાજ્યની ૬ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ૩૦ પુરૂષ અને ૩૦ સ્ત્રી એમ કુલ ૬૦ પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે
રાજ્યની સરકારી મેડીકલ કૉલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ.૧૦૦.૦૦ કરોડના નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાશે
…………………………………….
*આરોગ્ય વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રીય માંગણીઓમાં વિધાનસભા ગૃહમાં પસાર*
*******************
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન જોઇને સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે. આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ટીકાત્મક ઉપરાંત સર્જનાત્મક સૂચન પણ હંમેશા સરકારમાં આવકાર્ય છે. જેનો સરકાર ખુલ્લા મને સ્વીકાર કરીને તેના પર કામ કરે છે.
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ આજે વિધાનસભા ગૃહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણીઓ પર જવાબ આપી રહ્યાં હતા ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે જે મગજ, નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે.
રાજયના તબીબી વિધાર્થીઓ/ન્યુરોલોજીકલ તબીબોને નવીન સારવાર, ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરાશે તેમજ આ સંસ્થામાં ભવિષ્યમાં ન્યુરોલોજી/ન્યુરો સાયન્સને લગતા ઉચ્ચ અભ્યાસક્રમો પણ શરૂ કરી શકાશે .આ સંસ્થા સંપુર્ણપણે કાર્યરત થતા રાજયમાં અન્ય જગ્યાઓએ પણ સેટેલાઈટ સેન્ટર શરૂ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
*કૅન્સર*
રાજ્યના ત્રણ જિલ્લામાં નવીન ત્રણ રેડિયોથેરાપી સેન્ટરની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર , હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે.
*હ્રદયરોગ માટે*
યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત કરાશે.
*પેલિયેટીવ કેર માટે*
ગંભીર કે જીવલેણ બિમારીથી પીડિતા દર્દી જ્યારે જીંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટેના નવીન અભિગમ સાથે રાજ્ય સરકારે 6 સરકારી હોસ્પિટલમાં પેલિયેટીવ કેર વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
વધું વિગતો આપતા તેમણે ઉમેર્યુ હતુ કે, રાજ્યની ૬ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ૩૦ પુરૂષ અને ૩૦ સ્ત્રી એમ કુલ ૬૦ પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે
ગંભીર ,અસાધ્ય અને જીવલેણ બિમારીના કારણે અંતિમ તબ્બકામાં હોય તેવા દર્દીઓને તબીબી સારવારની વિવિધ પધ્ધતિઓ દ્વારા પીડામાંથી મુક્તિના પ્રયાસો હાથ ધરાશે.
મંત્રીશ્રીએ અન્ય અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજયની સરકારી સિવિલ હોસ્પિટલોના આઈ.સી.યુ. વિભાગોમાં પથારીઓનો વધારો કરવા અને તેની સેવાઓ સુદ્રઢ કરવાની તથા આઈ.સી.યુ.ને સંલગ્ન નવા ક્રિટીકલ કેર મેડીસીન વિભાગ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે
રાજ્યની સરકારી મેડીકલ કૉલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ એમ એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ.૧૦૦.૦૦ કરોડના નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાશે
સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે નિર્માણ પામેલ સુપર સ્પેશીયાલીટી બિલ્ડીંગમાં ૨૦ બેડના નેફ્રોલોજી તથા ૨૦ બેડના યુરોલોજી વિભાગ મળી કુલ-૪૦ બેડની કાર્યક્ષમતા સાથે કિડનીના દર્દીઓ માટે સેવાઓ શરુ થશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
*ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ*
રાજ્યમાં દવાઓના નમુના ચકાસણી ઝડપી બનાવવા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે નવી ખોરાક અને ઔષધ પ્રયોગશાળા સ્થાપવામાંનો તેમજ ખાદ્ય પદાર્થોના નમુના ચકાસવા માટે નવીન ત્રણ લેબ મહેસાણા, વલસાડ અને જુનાગઢ જિલ્લામાં સ્થાપવા માટે પ્રયોગશાળાઓના બાંધકામ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૨૮.૩૧ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
*બાળ અને માતા મૃત્યુ દર ઘટાડવા*
વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં અતિ જોખમી અને જોખમી સગર્ભા માતાઓને ૧૮૦ દિવસ સુધી પોષણક્ષમ બિસ્કીટ ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઇ કરાઇ છે.
રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓ સમયસર પહોંચે તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કચ્છ અને બનાસકાંઠાના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૩૦ ફિમેલ હેલ્થ વર્કરની નવી જગ્યાઓ ઉભી કરાશે
નમો શ્રી યોજના અંતર્ગત ૧૧ કેટેગરીની બહેનોને ખાનગી અને સરકારી સંસ્થાકીય પ્રસુતિમાં તબક્કા વાર કુલ રૂ.૧૨,૦૦૦/- ની સહાય અપાય છે જેના માટે આ વર્ષના બજેટમાં કુલ રૂા.૪૮૮.૪૦ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
રાજ્યની જીલ્લા તેમજ પેટા જીલ્લા હોસ્પિટલો ખાતે પોસ્ટ મોર્ટમ રૂમ(કોલ્ડ સ્ટોરેજ બોક્ષ સહિત)નું બાંધકામ કરવા રૂ.૧૫.૦૦ કરોડની જોગવાઇ અને નવીન 200 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવા માટે કુલ રૂ.૪૮.૦૦ કરોડની જોગવાઇ કરી હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
*આરોગ્ય વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રીય માંગણીઓમાં વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ હતી.*
……………………………………………..
[3/25, 7:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૭મી માર્ચે યોજાશે*
—————-
*અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે*
—————-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે યોજાશે.*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માર્ચ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭મી માર્ચે યોજાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૭મી માર્ચે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે, સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
—————-
[3/25, 8:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *CM ડેશબોર્ડ પર બોટાદ જિલ્લો સતત ૧૪૦ દિવસોથી પ્રથમ ક્રમે*
*****
*જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયનાં નેતૃત્વ હેઠળ બોટાદની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું : ડિજિટલ ટેક્નોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લાની અનેરી સિદ્ધી*
******
*બોટાદે PUBLIC SERVICE SEGMENTમાં વિવિધ સેવાને લગતી કામગરીમાં ૯૦% લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે IMPORTATNT SCHEME SEGMENTમાં ૫ણ બોટાદે ૮૦% લક્ષ્યાંક સિદ્ધ કર્યો*
******
માહિતી બ્યુરો, બોટાદ
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ CM ડેશબોર્ડ થકી રાજ્યના ગ્રામ્ય વિસ્તારો, તાલુકાઓ અને જિલ્લાઓમાં અમલી વિવિધ જન કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. પાયાના સ્તર સુધી કલ્યાણલક્ષી સેવાઓના નિરીક્ષણ માટે સી.એમ. ડેશબોર્ડ આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારશ્રીનું મહત્વનું અંગ બની રહ્યું છે. જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો દરેક ક્ષણનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે જે દરેક બોટાદવાસી માટે ગૌરવપૂર્ણ બાબત છે. જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયની પ્રતિબદ્ધતા અને જિલ્લા તંત્રના કર્મયોગીઓના અપાર પરિશ્રમની ફળશ્રૃતિરૂપે સરકારશ્રીની યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લા ૧૪૦ દિવસોથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને બોટાદે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત કુલ ૩૬૫ દિવસો પૈકી ૨૨૨ દિવસો એટલે અંદાજિત ૬૧% દિવસો દરમિયાન ટોપ પાંચ જિલ્લાઓમાં સ્થાન જાળવી રાખ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય મારફતે CM DASHBOARD PORTAL – RTPMS અંતર્ગત રેવન્યુ, ૫બ્લિક સર્વિસ, વિવિધ વિભાગોની મુખ્ય યોજનાઓ, ડેવલ૫મેન્ટ વર્ક,અન્ય મહત્વની કામગીરી બાબતે દરેક જિલ્લામાં થયેલ કામગીરી મુજબ DAY to DAY જિલ્લાના કલેકટરશ્રીઓના ક્રમાંક (RANK) આ૫વામાં આવે છે. આ PORTAL હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બોટાદ જિલ્લાએ કુલ ૩૬૫ દિવસો પૈકી ૧૪૦ દિવસો એટલે કે અંદાજિત ૪૦% દિવસોમાં પ્રથમ ક્રમાંક ૫ર રહીને સુવર્ણ સિધ્ધિ હાંસલ કરી છે તેમજ કુલ ૩૬૫ દિવસો પૈકી ૨૨૨ દિવસો એટલે અંદાજિત ૬૧% દિવસો “TOP 5 DISTRICTS”માં સ્થાન જાળવી રાખ્યું છે.
CM DASHBOARD PORTAL– RTPMSમાં સમીક્ષા થતા વિવિધ પાંચ SEGMENTS પૈકી મહેસૂલ વિભાગને લગતી કામગીરીમાં ૯૦% ઉ૫રાંતની કામગરી પૂર્ણ કરી હાલ “REVENUE SEGMENT”માં બોટાદ જિલ્લો પ્રથમ ક્રમાંક ૫ર જળવાઇ રહ્યો છે. ઉ૫રાંત PUBLIC SERVICE SEGMENTમાં જિલ્લામાં વિવિધ સેવાની કામગરીમાં ૯૦% લક્ષ્યાંક પ્રાપ્ત કરી હાલ બોટાદ જિલ્લો પ્રથમ ક્રમ ૫ર છે. આ ઉ૫રાંત “DEVELOPMENT WORK અને IMPORTATNT SCHEME SEGMENT”માં ૫ણ બોટાદ જિલ્લાએ ૮૦% લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.
આજે ડિજિટલ ગુજરાતનો ડિજિટલ બોટાદ જિલ્લો આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પારદર્શક વહીવટની કંડારેલી પગદંડી પર લોકકલ્યાણની દિશામાં અવિરતપણે આગળ વધી રહ્યો છે.
[3/26, 1:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા છ નવા*
*સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા*
………
*વર્ષ ૨૦૨૫-૨૬માં સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. ૩૯ કરોડથી વધુની જોગવાઈ*
…….
રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ‘ગુજરાત વંદના સંગ્રહાલય’નું ૧૨ એકર વિસ્તારમાં SOU-એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે રૂ. ૩.૯૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે,‘ગુજરાત વંદના સંગ્રહાલય’માં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવવામાં આવનાર છે.જેમાં ટેકનોલોજીયુકત વિવિધ ૮ ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા છ સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીર બાળ સંગ્રહાલય ભુજ, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૦૬ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. ૩૯.૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં વર્તમાનમાં પાંચ સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે જેમાં, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બારડોલી ખાતે આવેલા સંગ્રહાલય તેમજ દરબાર હોલ, સાપુતારા -ડાંગ, રાજમાતા સંગ્રહાલય પાટણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં, સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ રૂ. ૩૦ કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૬ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય ઉપરકોટ-જૂનાગઢ ખાતે દેવાયત બોદરનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે
તેમ, તેમણે ઉમેર્યું હતું.
……………………..
[3/26, 2:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે , લાગવગ કે ઓળખાણને કોઇ સ્થાન નહીં :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
……………………..
*અંગદાનની મુહિમ આજે રાજ્યમાં જનઆંદોલન બની છે, લોકો સ્વયંભુ અંગદાનની મુહિમમાં જોડાઇ રહ્યાં છે – આરોગ્યમંત્રીશ્રી*
……………………..
*રાજ્યમાં ઝોન વાઇઝ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ ધરાવતી મેડિસીટી નિર્માણ પામતા ટ્રાન્સ્પ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે*
……………………..
*SOTTO(સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન) દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે*
………………………..
*કેટલાક કિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓના મૃત્યુ થતા કારણો તપાસવા માટે SOTTO એ રીવ્યુ કમીટી બનાવી*
…………………….
• રાજ્યમાં માત્ર રીટ્રાઇવલ કરતી કુલ ૧૧૨ હોસ્પિટલો, જે પૈકી ૧૫ સરકારી
• રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 હોસ્પિટલ
…………………….
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગધાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલા-દવલા કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વેગવંગી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાનું મોનટરીંગ અને સંચાલન કરવા વર્ષ – 2019માં SOTTO (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. SOTTO દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ મેડસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કિડનીના, 748 અને લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28 અને લીવરના 54 જેટલા દર્દીના મૃત્યુ થયા છે.
ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલ દર્દીઓના મૃત્યુ સંદર્ભે કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આંતરિક કમિટી બનાવી મૃત્યુના રીવ્યું કર્યા છે.
*જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ન્યુમોનિયા, સેપ્ટિસેમિયા (શરીરમાં ચેપ ફેલાઇ જવો) , પ્રાઇમરી ગ્રાફ્ટ ડિસફંકશન (મળેલ અંગ યોગ્ય રીતે કામ ન કરે) , ઇન્ફેકશન ફ્રોમ લિવર ડોનર , સ્ટોન ઇન ગોલ બ્લેડર , ટી.બી થવું, કેન્સર એટેક, પોર્ટલ વેઇન થ્રોંબોસીસ, એ.આર.ડી.એસ. (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ), ઈસ્ચેમિયા રીપરફ્યુજન ઇંન્જરી (લોહીના પરિભ્રમણમા ખામી), કાર્ડિયાક એરેસ્ટ અને પુવર મેડિકલ કંડીશન, માલન્યુટ્રીશન, સાક્રોપેનિયા (સ્નાયુઓની તકલિફ) , રિકરન્ટ એક્યૂટ કિડની ઈંજરી જેવા મહત્વના કારણો જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું છે.*
આરોગ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે અંગદાનની મુહિમ રાજ્યમાં જનઆંદોલન બની છે. લોકો હવે સ્વયંભુ અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને અન્યોને મદદરૂપ બનવા સંકલ્પબધ્ધ થઇ રહ્યા છે.
*રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.*
રાજ્યમાં માત્ર રીટ્રાઇવલ કરતી કુલ ૧૧૨ હોસ્પિટલો છે. જે પૈકી ૧૫ સરકારી હોસ્પિટલો છે. તેમજ રાજ્યમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 જેટલી હોસ્પિટલ છે.
*રાજ્ય સરકાર દ્વારા ઝોન વાઇઝ મેડિસીટી નિર્માણકાર્ય યુધ્ધનાઘોરણે આરંભવવામાં આવ્યું છે. સુરત, વડોદરા, રાજકટો, ભાવનગર અને જામનગર માં કિડની, લીવર, હાર્ટ સહિતની સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ધરાવતી મેડિસીટી નિર્માણ પામતા ઝોન વાઇઝ પણ સરકારી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.*
આ ક્ષણે મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોને રાજ્ય સરકારની અંગદાનની મુહિમમા જોડાઇને અંગોના વેઇટીંગ લીસ્ટ ઘટાડવા માટે સહભાગી બનવા આહવાન કર્યું હતુ.
………………
[3/26, 2:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ*
———
કચ્છ જિલ્લામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ વિશે વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કુલ ૭,૪૨૪ હેક્ટર વિસ્તારમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૫૪.૬૭ લાખ જેટલી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નખત્રાણા તાલુકામાં રૂ. ૨૮૩.૯૯ લાખના ખર્ચે કુલ ૭૬૮ હેકટરમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં વન વ્યવસ્થા અને વિકાસની યોજના હેઠળ ૩,૦૬૯ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧,૦૭૫.૯૬ લાખના ખર્ચે ૨૫.૭૨ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૨૧.૪૭ લાખ જેટલી છે. તેવી જ રીતે કેમ્પા યોજના હેઠળ ૪,૨૦૦ હેક્ટરમાં રૂ. ૨,૫૩૨.૮૫ લાખના ખર્ચે ૩૮૩.૮૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૧૭.૮૫ લાખ જેટલી છે.
આ ઉપરાંત સ્ટેટ ચેર યોજના અંતર્ગત ૧૫૦ હેક્ટરમાં રૂ. ૩૯.૫૦ લાખના ખર્ચે ૧૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૧૫.૩૩ લાખ જેટલી છે, તેમજ ફોરેસ્ટ રિસર્ચ અંતર્ગત ૫ હેક્ટરમાં રૂ. ૧.૬૯ લાખના ખર્ચે ૩ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૨ હજાર જેટલી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
——–
[3/26, 2:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા*
******
*કૉલેજ જવા માટે અંતરિયાળ વિસ્તારોની વિદ્યાર્થિનીઓને એસટી બસભાડામાં ૧૦૦ ટકા, જ્યારે વિદ્યાર્થીઓને ૮૦ ટકા સુધીની રાહત અપાય છે: મંત્રી શ્રી પાનશેરિયા*
******
રાજ્યની કૉલેજોમાં ફીના માળખા અંગેની વિગતો આપતાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોમાં ફીનું ધોરણ સમાન છે.
આ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારના તા. ૬ જૂન, ૨૦૦૩ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. ૬૦૦ની રકમ લેવામાં આવે છે, જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને શિક્ષણ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ જ પ્રકારે, રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને કૉલેજ સુધી આવવા-જવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોમાં કન્સેશનની યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થિનીઓને બસભાડાના ૧૦૦ ટકા, જ્યારે વિધાર્થીઓને બસભાડાના લગભગ ૮૦ ટકા જેટલું કન્સેશન આપવામાં આવે છે તેમ મંત્રીશ્રી પાનશોરિયાએ જણાવ્યું હતું.
વધુમાં, રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ગાઇડલાઇન મુજબ માળખાકીય અને ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક સ્ટાફની ભરતી-બઢતી પ્રક્રિયા અંગેના તમામ નિયમો સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોને સમાન રીતે લાગુ પડે છે.
ભાવનગર જિલ્લાની કૉલેજોની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહની પાંચ સરકારી કૉલેજ તથા આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, બી.એડ. અને કાયદા પ્રવાહની સાત ગ્રાન્ટેડ કૉલેજ આવેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
******
[3/26, 2:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં કુલ 12 (CHC)ને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ:- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
…………………
*વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યામાં કોઇ ઘટ નહીં – આરોગ્યમંત્રીશ્રી*
…………
*છોટાઉદેપુરના કવાંટ C.H.C. ને પેટા જીલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટે ટેન્ડર ઇનવાઇટ કરાયું*
…………
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાના વિવિધ પ્રશ્નો સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 12 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રોને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
વર્ષ 2011ની વસતિ ઘોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યા પૂરતી છે. કોઇપણ પ્રકારની ઘટ્ટ નિયત માપદંડો પ્રમાણે નથી.
*તેમ છતાં રાજ્ય સરકારે હાલની માંગણીઓને ધ્યાનમાં લઇ જીઓસ્પાશીયલ એનાલિસીસના આધારે પણ P.H.C, C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મંજૂર કરી છે.*
રાજ્યમાં સા.આ.કે માંથી પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટેનો જરૂરી માપદંડ વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, તા.૦૧/૦૩/૨૦૧૭ના ઠરાવ પ્રમાણે C.H.C.ને પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા અગ્રતા ક્રમ નિયત કરવા વિસ્તારનો પ્રકાર, વસતીની સંખ્યા, અંતર, હાલની સેવાઓની કક્ષાઓ જેવા માપદંડો ધ્યાને લેવામાં આવે છે.
*વિસ્તારનો પ્રકાર:*
હાઈ પ્રાયોરિટી તાલુકા (એચ.પી.ટી.), ટ્ર્રાઈબલ એરિયા, એસ.સી.એસ.પી.(શિડ્યુલ કાસ્ટ સબ પ્લાન), ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડી.ડી.પી.), સાગર ખેડુ, નોર્મલ એરિયા
*વસ્તીની સંખ્યા:*
એક લાખથી પાંચ લાખ સુધીની વસતી ધરાવતા સ્થળે પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ ઉભી કરી શકાશે.
તા. ૦૭/૧૨/૨૦૧૩ના ઠરાવથી વિવિધ પરિબળો જેવા કે, પછાત વિસ્તારો, આદિજાતિ, દુર્ગમ, રણ વિસ્તાર, સાક્ષરતા, આરોગ્ય અને તબીબી વિષયક તબીબી અને ખાનગી સાધનોની ઉપલબ્ધી વિગેરેના આધારે ૩ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવેલ છે.
1. હાઇ પ્રાયોરીટી -૭૭ તાલુકા
2. પ્રાયોરીટી -૧૧૮-તાલુકા
3. નોર્મલ -૫૩ તાલુકા
*અંતર:*
સામુહિક આરોગ્ય કેન્દ્રને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરતી વખતે સામુહિક આરોગ્ય કેન્દ્રથી હાયર સેવાઓના અંતરેને ધ્યાનમાં લેવાનું રહેછે. જેમ અંતર વધુ તેમ પ્રથમ અગ્રતા આપવાની રહે છે.
*હાલની સેવાઓની કક્ષા:*
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓને ધ્યાનમાં લેવાય છે.
પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોની ક્ષમતા ૫૦ થી ૧૦૦ પથારીની સુવિધા રાખવાની રહે છે.
મંત્રીશ્રીએ સા.આ.કે. થરા પેટા જિલ્લાની હોસ્પિટલમાં અપગ્રેડ ન થવાના કારણો જણાવતા કહ્યું હતુ કે, તા.૧૩/૦૩/૨૦૨૩ના ઠરાવથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની સૈધાંતિક મંજૂરી મળેલ હતી.
પરંતુ ૩૦ કી.મી.ની હદમા જો અન્ય કોઇ પેટા જીલ્લા હોસ્પિટલ હોય તો તેવા સંજોગોમાં તેને પ્રાથમિકતા આપવાની વિચારણા હાથ ધરાઇ.
સા.આ.કેન્દ્ર થરાથી સરકારી હોસ્પિટલ,ભાભર ૨૮ કિ.મીના અંતરે તેમજ સરકારી હોસ્પિટલ,રાધનપુર ૨૯ કિ.મીના અંતરે આવેલ હોઇ અપગ્રેડ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે ૧૦ સા.આ.કે.ને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ તમામ કેન્દ્રોની ૩૦ કી.મી.ની અંદર કોઇપણ પેટા જીલ્લા હોસ્પિટલ/જીલ્લા હોસ્પિટલ ન હોય તેવા સ્થળને પ્રાથમિકતા આપવામાં આવી છે.
*આ વર્ષના બજેટમાં ૨ કેન્દ્રો (નીઝર – તાપી અને કલ્યાણપુરા- દેવભૂમિ દ્વારકા) વિચારણા હેઠળ હોવાથી આ વર્ષે થરાનો સમાવેશ થઇ શક્યો નથી.*
જેમાં નિઝર (તાપી) થી એસ.ડી.એચ. ઉચ્છલ ૭૦ કીમી અને કલ્યાણપુરા (દેવભુમિ દ્વારકા) થી જીલ્લા હોસ્પિટલ જામ ખંભાળીયા ૫૫ કી.મી.ના અંતરે આવેલ છે.
……………………….
[3/26, 3:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
********
*રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પગલાઓના પરિણામે લોકોને આ વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાયા*
********
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
HMPV ના છેલ્લા એક વર્ષમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજન, પી.પી.ઈ. કીટ, N-95 માસ્ક, ડ્રગ્સ અને લોજીસ્ટીક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટીલેટર, PSA (PRESSURE SWING ADSORPTION) પ્લાન્ટ ફન્કશનલ કરાયા છે.
સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં, HMPV રોગ ન ફેલાય તે માટે ILI (INFLUENZA LIKE ILLNESS) / SARI (SEVERE ACUTE RESPIRATORY INFECTION)ના કેસોની સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કર્મીઓને (HMPV) રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી બાબતે માર્ગદર્શન અપાયું.
આ ઉપરાંત મંત્રી શ્રી પટેલે કહ્યું કે, (HMPV) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે પ્રચાર પ્રસાર કરાય છે રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કોલેજને (HMPV)ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગ કરાય છે. સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકા અનુસાર નિયંત્રણના પગલાં અને સારવાર વ્યવસ્થા સુનિશ્વિત કરાય છે.
********
[3/26, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થઈ છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
————–
*જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
—————-
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલને પગલે સમગ્ર દેશમાં તા. ૧ એપ્રિલથી પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે : જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
——————
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન*
_______
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઇ રહ્યું છે. જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા સામે મોટો પડકાર છે. રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાયે ઘટાડો થયો છે. આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં ૨ થી ૨.૫ ટકા જૈવિક કાર્બન હતો. જે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ચૂક્યો છે. ૦.૫ ટકાથી ઓછો જૈવિક કાર્બન હોય તે જમીન બીનપજાઉ હોય છે. આવી જમીન પથ્થર જેવી થઈ જવાથી પાણી પણ સંગ્રહ કરી શકતી નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાનું પાણીની પણ સમસ્યા સર્જાશે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. પ્રાકૃતિક ખેતીથી ધરતીમાં રહેલો ઓર્ગેનિક કાર્બન વધે છે. જમીન પોચી બને છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે દાંતીવાડામાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય અને નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક & નેચરલ ફાર્મિંગ, ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ-સહ-વર્કશોપ યોજાયો હતો. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આ આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં કહ્યું કે, રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે. તાજેતરમાં એક મહિલા વૈજ્ઞાનિકે ૩૦ બાળકો પર કરેલા સંશોધનમાં બાળકોના બ્લડ સેમ્પલમાં પેસ્ટીસાઈડસ મળી આવ્યા હતા. રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે. ખેતીમાં યુરિયાના ઉપયોગથી નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ પેદા થાય છે. જે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે.
રાજ્યપાલશ્રીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. છેલ્લા ૩૦ વર્ષના અનુભવો ઉપરથી સિદ્ધ થયું છે કે જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન પણ વધે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એ વાત સંદતર ખોટી છે. હળદરમાં તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન બમણું થયું છે. પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી છે જેમાં બહારથી કોઈ ઈનપુટ લેવામાં આવતા નથી, જ્યારે જૈવિક ખેતીમાં બહારથી ઇનપુટ લેવામાં આવે છે. દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવા રાજ્યપાલશ્રી સૌને અનુરોધ કર્યો હતો.
સૂક્ષ્મ જીવાણુઓ , મિત્ર કીટકો અને અળસિયાનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. આહારથી વિચારની શુદ્ધિ થાય છે, આજના ઝેરયુક્ત આહારથી હિંસાનું પ્રમાણ વધ્યું છે. જેથી દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવા રાજ્યપાલશ્રી સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની પાંચ કૃષિ યુનર્વિસટી દ્વારા થયેલા શોધ સંશોધન બદલ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અલગ અલગ રાજ્યમાંથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા ૯ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વર્ણવતી પુસ્તિકાનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત (આર.બી.સી.આઇ) ઈનક્યુબેશન સ્ટાર્ટ અપના સર્ટીફીકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરાયું હતું.
આ પ્રસંગે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક & નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના નિર્દેશક શ્રી ગગનેશ શર્મા, નાગપુર સેન્ટરના નિર્દેશક શ્રી એ.એસ.રાજપૂત, અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષ શ્રી ડો.મનોજ સોલંકી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ .આર.એમ ચૌહાણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી ચોવટીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે.બી. કથરિયા, જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે દવે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, બાગાયત ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ સંશોધકો, પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
—————
[3/26, 4:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ છે: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ*
******
*રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું જાહેર દેવુ ૧૫.૨૮ ટકા થવાનો અંદાજ, જે ૨૭.૧૦ ટકાની નિયત મર્યાદા કરતાં ધણું ઓછું: નાણાં મંત્રી શ્રી*
******
* પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં આશરે ૧.૯૨ કરોડ ખાતા ખોલવામાં આવ્યાં, રાજ્યભરમાં ૧.૪૪ કરોડ રૂ-પે કાર્ડ ઇસ્યૂ કરાયાં
* ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં રાજ્યના કુલ ૩.૬૩ કરોડ રેશનકાર્ડ ધારકોનું આધાર e-KYC કરાયું છે
* રાજ્ય સરકારને ૧૦૦ રૂપિયાની મહેસૂલી આવક મેળવવામાં માત્ર ૩ પૈસાનો ખર્ચ થાય છે, જે વહીવટી કુશળતાની નિશાની છે
* રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો, કુલ ૧૨,૪૬,૫૮૧ કરદાતા નોંધાયા
* કેન્સરના સારવારની જીન થેરપીને વેરા મુકત કરાયો: કેન્સરની દવાઓ પર વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરાયો
* જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઇ-વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને
******
*વિધાનસભા ગૃહ ખાતે નાણાવિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ*
******
રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેની નાણાં વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં નાણાં મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યનો નાણાં વિભાગ રાજવિત્તીય અધિનિયમ, ૨૦૦૫ના નિયત માપદંડો મુજબ નાણાકીય વ્યવસ્થાપન માટે શિસ્તબદ્ધ રીતે કાર્યરત્ છે. આ માટેના નિયત માપદંડોને અનુસરીને રાજ્યની મહેસૂલી ખાધ ક્રમશઃ નાબૂદ કરીને સુદૃઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે દેશના જીડીપીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોના અર્થતંત્રોમાંનું એક છે. બે દાયકા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવવાની સાથેસાથે ગુજરાતને એક વિકસિત રાજ્ય બનાવવાનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું વિઝન છે અને રાજ્ય સરકાર સતત આ દિશામાં પ્રયત્નશીલ છે.
રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે અને વર્ષ ૨૦૨૫-૨૬માં જાહેર દેવુ ૧૫.૨૮ ટકા રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે. જે ૨૭.૧૦ ટકાની નિયત મર્યાદા કરતાં ધણું જ ઓછું છે.
શ્રી દેસાઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણના પ્રોજેક્ટ્સ માટે ૫૦ વર્ષ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂપમાં રાજ્યોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાતને રૂ.૫૦૨૭ કરોડની સહાય આપવામાં આવી છે. જેના પરિણામે જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીના સરેરાશ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યના એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લાં ૧૦ વર્ષની સાપેક્ષ વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર ૮.૮૭ ટકા જેટલો હતો. જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજમાં ૭.૩૬ ટકા જેટલો થવાનો અંદાજ છે. આમ, એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષમાં જાહેર દેવાનો દર ઘટ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યના નાણાં વિભાગની નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વિશે વાત કરતાં શ્રી દેસાઈએ કહ્યું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન-GSDPના પ્રમાણમાં રાજવિત્તીય ખાધ – Fiscal Deficitનું પ્રમાણ વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજોમાં નિયત મર્યાદા ૩ ટકા સામે ૧.૮૯ ટકા જેટલું નીચું, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજ મુજબ ૧.૯૬ ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ફેબ્રુઆરી ૨૦૨૫ ના રિપોર્ટ મુજબ રાજ્યોના નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સહાય વિશે માહિતી આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી રાજ્યમાં લાભાર્થીલક્ષી ૪૧૭ અલગ અલગ યોજનાઓ અંતર્ગત ડીબીટીના માધ્યમથી સહાય આપવામાં આવી છે. તદુપરાંત, વર્ષ દરમિયાન કુલ ૦૯ નવી લાભાર્થીલક્ષી યોજનાઓને ડીબીટી પોર્ટલ પર ઉમેરવામાં આવી છે.
વધુમાં, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં આશરે ૧.૯૨ કરોડ ખાતા ખોલવામાં આવ્યાં છે તેમજ ૧.૪૪ કરોડ રૂ-પે કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૫૪ હજાર દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજય સરકારની લાભાર્થીલક્ષી યોજનાઓમાં Biometric Aadhaar Authenticationને અમલીકૃત કરવાના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં કુલ ૩.૬૩ કરોડ રેશનકાર્ડ ધારકોનું (NFSA & Non-NFSA) Aadhar આધારિત e-KYC કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત GYAN-ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ ઉપર વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે માહિતી આપતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ગત નાણાકીય વર્ષની સામે આગામી વર્ષે અનેક વિભાગોની બજેટ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
જે મુજબ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં ૪૨.૫૦ ટકા, શહેરી વિકાસની જોગવાઇઓમાં ૪૦ ટકા, ગ્રામ વિકાસ ક્ષેત્રમાં ૩૦.૫૦ ટકા, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમાં ૧૬.૩૫ ટકા, પ્રવાસન ક્ષેત્રમાં ૩૦.૯૮ ટકા, ગૃહ વિભાગમાં ૨૧.૯૮ ટકા, જ્યારે વન અને પર્યાવરણ વિભાગમાં ૨૧.૪૧ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
નાણાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત @૨૦૪૭નો રોડ મેપ તૈયાર કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે રૂ. ૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સૂચવવામાં આવ્યું છે. જે માટે આ વર્ષે રૂ.૫૦૦૦ કરોડની ફાળવણી કરી છે. આ ફંડમાં વિવિધ સ્પેશિયલ ઇકોનોમિક્સ રિજન તથા લોંગ ટર્મ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ જેવા કે હાઇસ્પીડ કોરિડોર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, ઓદ્યોગિક વિકાસ, પ્રવાસન, લોજિસ્ટિક પાર્ક, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી વિકાસલક્ષી બાબતો માટે જોગવાઈ રાખવામાં આવી છે.
રાજ્યના કરમાળખા વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે નાણાં વિભાગ હસ્તકની રાજ્યવેરા કચેરી દ્વારા જી.એસ.ટી., વેટ, ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી અને પ્રોફેશનલ ટેક્સના અમલીકરણની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જે મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫માં આ કાયદાઓ હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં આશરે રૂ. ૧ લાખ ૧ હજાર કરોડની આવક થઈ છે. જેની સાપેક્ષે રાજ્યવેરા કચેરીનો ખર્ચ માત્ર રૂ. ૩૨૦ કરોડ થયો છે. આમ, આ આવક સામે થયેલા ખર્ચનો રેશિયો જોતા રાજ્ય સરકારને ૧૦૦ રૂપિયાની આવક મેળવવામાં માત્ર ૩ પૈસાનો ખર્ચ થાય છે. જે નાણાં વિભાગની અને રાજ્યવેરા ખાતાની વહીવટી કુશળતા દર્શાવે છે.
નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ચરિતાર્થ કરવા ગુજરાત ફેસલેસ અને પારદર્શક સેવા આપવા પ્રતિબધ્ધ છે. રાજ્યવેરા કચેરી હેઠળની મોટાભાગની કામગીરી ફેસલેસ કરાઈ છે. જેમાં નવી નોંધણી, નોંધણીમાં સુધારા-વધારા, રિફંડ માટેની અરજી, માસિક કે વાર્ષિક પત્રકો ભરવા જેવી તમામ કામગીરી ઓનલાઇન કરાઈ છે.
વધુમાં, તેમણે જણાવ્યું કે જીએસટી કચેરીમાં આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સ્ક્રૂટિની, ઑડિટ અને અન્વેષણ જેવી કામગીરીની પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. આધુનિક ટેકનોલોજી જેવી કે GSTN સિસ્ટમ, ઇ-વે બિલ અંગેની NIC સિસ્ટમ, જીએસટી એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્ટ નેટવર્ક વગેરે સોફટવેરનો ઉપયોગ કરી State Tax Execution Monitoring Module પોર્ટલ પર સ્ક્રૂટિની, ઓડિટ અને અન્વેષણ માટેની સચોટ કામગીરી થાય છે.
ગુજરાત રાજ્યનાં અગત્યનાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ સ્ટ્રેટેજિક લોકેશન પર મોબાઇલ સ્કવૉડની ટીમની અસરકારક કામગીરીથી સમગ્ર દેશમાં ગુજરાત ઇ-વે બિલ ચકાસણીમાં પ્રથમ ક્રમે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
નાણા મંત્રીશ્રીએ જણાવ્યું કે જીએસટીના અસરકારક અમલીકરણ અને સરળ, ઝડપી કામગીરીને કારણે ટેક્સ બેઝ વધ્યો છે. જૂન, ૨૦૧૭માં જીએસટીની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં ૧૪૫ ટકાથી વધુનો વધારો થવાથી હવે ૧૨,૪૬,૫૮૧ કરદાતા નોંધાયા છે.
વેપારીને જીએસટી રજિસ્ટ્રેશન મેળવવામાં સરળતા રહે તેમજ બોગસ રજિસ્ટ્રેશનની પ્રવૃત્તિને અટકવાના હેતુથી બાયોમેટ્રીક પદ્ધતિથી વેરિફિકેશન કરીને રજિસ્ટ્રેશન આપવા માટે માત્ર ૭૫ દિવસમાં સમગ્ર રાજયમાં આધુનિક કક્ષાના ૧૨ જીએસટી સેવા કેન્દ્રો ઊભા કરાયાં છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતા અને વિભાગના સહિયારા પ્રયાસોથી ચાલુ વર્ષે જીએસટી હેઠળ ૧૫ ટકા ગ્રોથરેટથી રાજ્યની આવકમાં વૃદ્ધિ થઇ છે. જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં રૂ. ૬૭,૦૭૯ કરોડની આવક થઈ છે.
જીએસટી રિટર્ન ફાઇલિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નોંધાયેલા કરદાતાઓ પૈકી ૯૯.૬ ટકા કરદાતાઓએ જીએસટી રિટર્ન ફાઇલ કર્યું છે. તાજેતરમાં જીએસટી કાઉન્સિલ સેક્રેટરિયેટ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ પેરામીટરને રેન્કીંગમાં વિવિધ નવ જાતના પરફોર્મન્સ પેરામીટરમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી કાયદા હેઠળ આપવામાં આવેલી મુખ્ય રાહતો વિશે નાણાં મંત્રીશ્રીએ કહ્યું કે કેન્સરના દર્દીઓનો બોજો હળવો કરવા માટે જીન થેરપી પરનો જીએસટીનો દર ૧૨ ટકા હતો. જેને વેરામુકત કરાયો છે તેમજ કેન્સરની દવાઓ પર વેરાનો દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરાયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ અંતર્ગત ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફત રાજ્યના કરદાતાઓને ટેક્સ ઓનલાઇન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. IFMS અંતર્ગત તમામ કર્મચારીઓ, પેન્શનરો તથા સંબંધિત લાભાર્થીઓની સરળતા માટે ખાતામાં સીધે સીધી રકમ જમા થાય, તે માટે e-Payment સુવિધાની અમલી છે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન કરી રાજ્યના લગભગ ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય સીધા તેઓના ખાતામાં જમા થાય તેમજ સ્કોલરશીપ આધાર બેઝ્ડ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
વીમા નિયામક કચેરી અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪.૪૫ કરોડથી વધુ લાભાર્થીઓને અકસ્માત મૃત્યુના કિસ્સાની સહાયમાં વધારો કરીને રૂપિયા બે થી ચાર લાખ સુધીની કરાઈ છે.
આમ, વિધાનસભા ગૃહ ખાતે નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
******
[3/26, 4:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રી શ્રી કનુ દેસાઈ*
————-
-પાવર મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વીતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ
-દેશના વર્ષ ૨૦૭૦ સુધીમાં ‘ઝીરો કાર્બન’ના આયોજનમાં ગુજરાતને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘ઝીરો કાર્બન’ બનાવવાનું આયોજન
-વર્ષ ૨૦૦૨ માં રાજયની મહત્તમ વીજ માંગ ૭,૭૪૩ MW હતી જે વધીને આજે ૨૫,૫૦૨ MW: છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન વીજ માંગમાં ૩૨૯ ટકાનો વધારો
-ગુજરાતમાં કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી,જે દેશના ૪૦ ટકા જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને
-૧૨૫૦ મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ ખાતે નાંખવાનું આયોજન
-‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી આપવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં રૂ. ૨,૧૭૫ કરોડની જોગવાઇ
-રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અંદાજે રૂ. ૫૦૯ કરોડના ખર્ચે ૧૬,૫૭૦ કૂવાનું વીજળીકરણ કરવાનું આયોજન
-આગામી વર્ષે રૂ. ૬,૮૩૦ કરોડના ખર્ચે ૩,૧૭૦ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તથા ૯૬ સબસ્ટેશનો બનાવાશે
-સમગ્ર દેશમાં આયાત થતા એલ.એન.જી.નો ૭૫ ટકા હિસ્સો એકમાત્ર ગુજરાતનો
-દેશની સૌથી મોટી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ લિમિટેડ: દેશભરમાં આશરે ૪૨,૫૨૮ કિલોમીટર લાંબા શહેરી ગેસ વિતરણનું નેટવર્ક
———————
*ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર*
——————-
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની અંદાજપત્રીય માંગણી
પરની ચર્ચામાં વિધાનસભા ખાતે સહભાગી થતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે,ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વિકાસની આ વણથંભી યાત્રાને સતત ચાલુ રાખવા મક્કમ અને નિર્ણાયક એવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર સંકલ્પબદ્ધ છે.
મંત્રી શ્રી કનુભાઈએ કહ્યું હતું કે, મને જણાવતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વીતરણ કંપનીઓમાં સેવા અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી અને એમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+રેટિંગ મળેલ છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપની અનુક્રમે ૧, ૨ અને ૩ ક્રમે આવી છે અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવી છે.આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર દ્વારા બેસ્ટ ટ્રાન્સમીશન યુટીલીટીમાં જેટકોને સી.બી.આઇ.પી. એવોર્ડ ૨૦૨૪ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે,સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વિપરીત અસરોનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વ નેતા અને માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કોલસો ગેસ જેવા પ્રદૂષણ કરતા બળતણનો ઉપયોગ ઓછો કરવા અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ‘ગ્રીન ગ્રોથ’ પર ખાસ ભાર મૂક્યો છે.
વધુમાં ભારત સરકાર દ્વારા વર્ષ-2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યાંક નકકી કર્યો છે. જેને પહોંચી વળવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ અંદાજીત 100 ગીગાવોટ કરતાં વધુ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે.
આપણે ભારતના ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનના આયોજનમાં ઘણા આગળ વધ્યા છીએ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ઝીરો કાર્બન કરવાનું આયોજન છે તેમ,શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી કનુભાઈએ કહ્યું કે,
સમગ્ર ભારતમાં સ્થપાયેલ ૪૮,૫૮૮ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે ૧૨,૫૮૪ મેગાવોટ છે, જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના ૨૬ ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. તદુપરાંત, ગુજરાતમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા આશરે ૧૮,૧૨૫ મેગાવોટ છે, જે દેશમાં સ્થપાયેલ સોલાર પ્રોજેકટના ૧૮ ટકા જેટલી છે. રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા ૩૨,૯૨૪ મેગાવોટ છે જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૨,૧૪,૬૭૭ મેગાવોટની સાપેક્ષે ૧૫ ટકા જેટલી છે. જે રાજ્ય સરકારની દૂરંદેશી નીતિ તથા સક્ષમ નેતૃત્વની દૂરોગામી અસર દર્શાવે છે.
તેમણે ગર્વ સાથે કહ્યું હતું કે, રાજયમાં યોજાયેલ ગ્લોબલ RE – ઇન્વેસ્ટ સમિટ ૨૦૨૪માં ભારત સરકારના MNRE દ્વારા વિન્ડ અને સોલાર પાવર ક્ષમતા ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન પ્રદાન કરવા બદલ ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. રીન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનામાં સરળીકરણ અને પારદર્શીતા માટે અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ મારફતે સિંગલ વિન્ડો કલીઅરન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેના કારણે રીન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને વધુ વેગ મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ કરવામાં આવેલા મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં પણ ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
તેમણે કહ્યું કે,મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે મોદીએ પી.એમ. સૂર્ય ઘર યોજના જાહેર કરી છે. જે થકી સમગ્ર દેશમાં ૧ કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવાનું આયોજન છે.
મંત્રીશ્રીએ આનંદ સાથે કહ્યું કે, આ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે, જે દેશના ૪૦ ટકા છે,જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
રાજયની પોતાની ‘સૂર્ય ગુજરાત યોજના’ હેઠળ રાજયમાં ૫. ૨૧ લાખ ધરો ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત કરી ૨૦૭૩ MW વીજળી પેદા કરવામાં આવી રહી છે. જે દેશમાં ૮૨ ટકા સાથે પ્રથમ સ્થાને છે. હવે, પી.એમ. સૂર્ય ઘર યોજનાનો મહત્તમ લાભ લઈ રાજયમાં વધારેમાં વધારે સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં આવશે. જેનાથી રાજયના નાગરિકોને વીજ બિલમાં પણ રાહત થશે.
આ યોજનાનો મહતમ લાભ રાજ્યના ગ્રાહકોને મળે અને તેઓને સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી ૬ kW સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા મીટરીંગ અને કનેકટીવીટી ચાર્જમાં પ્રતિ કનેક્શન રૂ.૨,૯૫૦ની રાહત આપવા કુલ રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમારી સરકારે ગ્રાહકલક્ષી નિર્ણય કરીને રાજયના ૧.૫ કરોડ ગ્રાહકોને માર્ચ- ૨૦૨૪માં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ ૫૦ પૈસાની રાહત આપી છે. જેનાથી તા.૦૧.જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂ.૧૦૫૭ કરોડથી વધુ રકમની રાજયની જનતાને વીજ બીલમાં રાહત આપવામાં આવી છે. ત્યારબાદ ફરી એક વાર ડિસેમ્બર-૨૦૨૪ માં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન રૂ. ૯૪૭ કરોડથી વધુ રકમની વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવામાં આવી છે.
આમ, રાજ્ય હસ્તકની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોને વીજ બીલમાં સરેરાશ રૂ.૨,૦૦૦ કરોડથી વધુની રાહત આપી છે, જે હજુ પણ ચાલુ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે,
વર્ષ-૨૦૦૨માં ગુજરાત રાજ્યનો per capita વીજ વપરાશ ૯૫૩ યુનિટ હતો જે આજે વર્ષ ૨૦૨૪ માં વધીને ૨૪૭૯ યુનિટ થયો છે. જેની સામે દેશનો per capita વીજ વપરાશ ૧૩૩૧ યુનિટ છે. જે બતાવે છે કે, ગુજરાતમાં ખેતી, ઉધોગ તથા શહેરીકરણને લીધે વીજ વપરાશમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૨ માં રાજયની મહત્તમ વીજ માંગ ૭,૭૪૩ MW હતી જે વધીને આજે ૨૫,૫૦૨ MW થઈ છે. આમ, છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન વીજ માંગમાં ૩૨૯ ટકાનો વધારો થયો છે. આટલા મોટા પ્રમાણમાં વીજ માંગ હોવા છતાં પણ અમે વિના વિક્ષેપ રાજયના નાગરિકોને સતત અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હજુ પણ સતત વધતી આર્થિક વિકાસની ગતિ તેમજ સામાજિક સુવિધાઓને લીધે વીજળીની જરૂરિયાતમાં ઘણો વધારો થવાનો અવકાશ છે જેને પહોંચી વળવા અમે આગોતરા આયોજનો કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે,રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન કોલસા અને ગેસના ભાવમાં ખૂબ જ વધારો થયો હોવા છતાં સરકારે રાજયમાં વીજ કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ ન થવા દઇ રાજયના ખેડૂતો સહિતના તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો પૂરો પાડયો છે.
તેમણે કહ્યું કે,રાજયની વિવિધ ઔધોગિક સંસ્થાઓની રજૂઆતોના અનુસંધાને ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર
૨૦૨૪ના રોજ વીજ સપ્લાય કોડ ૨૦૧૫માં જરૂરી ફેરફાર કરી LT કનેકશન માટેના વીજ ભારની મર્યાદા ૧૦૦ KW થી વધારી ૧૫૦ KW કરી છે. આ સુધારાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે જે રાજયની આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપશે અને નવી રોજગારીનું સર્જન કરશે.
તેમણે કહ્યું કે,રીન્યુએબલ એનર્જી દરેક સમયે ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્રીડની સલામતી તથા વિશ્વસનીય વીજળી પૂરી પાડવા ફોસીલ ફયુઅલ આધારિત થર્મલ પાવર પ્રોજેકટસની પણ જરૂરીયાત રહે છે. આવનારા સમયમાં વધતી વીજ માંગને પહોંચી વળવા માટે, GUVNL દ્વારા ૨૪ x ૭ વીજળીના પુરવઠાને સુનિશ્ચિત કરવા વર્ષ ૨૦૩૦ સુધીમાં વિવિધ પાવર પ્રોજેક્ટ્સ દ્વારા આશરે ૩૭૬૦૯ MW (૨૫૭૧ MW-થર્મલ, ૫૪૬ MW-હાઈડ્રો, ૭૮૬૧ MW-વિન્ડ તથા ૨૬,૬૩૧ MW-સોલાર) વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું આયોજન છે.
આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી ૨૪૦૦ મેગાવોટની વીજ ક્ષમતા વધારવાનું આયોજન છે.
રાજય સરકાર હસ્તકના જાહેર સાહસ GMDC ને ઓરીસ્સા રાજયમાં કુલ-૨ કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવેલી છે. જે અંતર્ગત સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ થકી ૪૪૦૦ મેગાવોટની વીજ ક્ષમતા પ્રાપ્ત કરવાનું આયોજન છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,રાજયમાં ઉપલબ્ધ લિગ્નાઇટના જથ્થાનો ઉપયોગ કરી વાપરી આશરે ૧૨૫૦ મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ ખાતે નાંખવાનું આયોજન છે.
તેમણે કહ્યું કે,અમારી સરકાર હંમેશા ખેડૂતોની સાથે ખડે પગે ઉભી રહી છે. ખેડૂતોને ૯૦ ટકાથી વધુ રાહત દરે વીજળી પુરી પાડવી, ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવી તેમજ રાહતદરે વીજ કનેકશન આપવું જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમે અમલમાં મુકી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી આપવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં રૂ. ૨,૧૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરી પાડવા ખૂબજ મહત્વની બાબતો જેવી કે હયાત વીજ માળખાનું સુદ્રઢીકરણ અને દિવસ દરમિયાન વીજ માંગને સંતોષવા માટે જરૂરી વીજ ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાત ૯૭ ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના ખેડૂતોને સાચા અર્થમાં રાતના ઉજાગરામાંથી મુક્તિ મળી છે.
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ-સુફલામ અંતર્ગતની ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ માટે વીજ જોડાણ આપવાની ખેડૂતોની રજૂઆત હતી. આ રજૂઆતના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સરફેસ વોટરનો ઉપયોગ કરવા ખેડૂતોને ખેતરમાં વધુ એક પ HPનું વીજ જોડાણ આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો અનેક ખેડૂતો લાભ લઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહે તે માટે જર્જરિત વીજવાયરો અને આનુષાંગિક ઉપકરણો બદલવાની કામગીરી ઉપરાંત ખેતીવિષયક ફીડરોનાં વિભાજનની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
પી.એમ. કુસુમ યોજના વિશે જણાવતા ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે આ યોજના અંતર્ગત જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પીયત માટે ડિઝલથી ચાલતા પંપસેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ એલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે વનવિસ્તારના સામાન્ય યોજનાના અરજદારો કે જેમને હયાત ગ્રીડથી પરંપરાગત વીજજોડાણ આપવું ટેકનો-કોમર્શિયલ વાયેબલ ન હોય તે વિસ્તારના અરજદારોને સોલાર પંપ સેટ માટે ફાળો નહિવત ભરવાનો તેમજ બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડીરૂપે આપવામાં આવે છે. આદિજાતિ યોજનાના અરજદારોએ કોઇ ફાળો ભરવાનો રહેતો નથી. આ યોજના માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૦૩.૪૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તાર પેટા યોજના હસ્તકની કુટીર જ્યોતિ યોજનામાં હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટર આવેલા આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓના ઘર વપરાશના વીજ જોડાણ આવરી લેવામાં આવતા હતા. હવે હળવા દબાણની વીજ રેષાથી ૧૦૦ મીટર મર્યાદાને દૂર કરવામાં આવી છે, જેથી આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને ઘર વપરાશનો વીજ પુરવઠો પૂરો પાડવામાં સરળતા રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સાગરખેડૂ વિકાસ યોજના વિશે મંત્રીશ્રીએ કહ્યું કે ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે રૂ. ૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં અંદાજે રૂ. ૫૦૯ કરોડના ખર્ચે ૧૬,૫૭૦ કૂવાનું વીજળીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં ૧૨ નવા સબસ્ટેશનો બનાવવા અને તેને સંલગ્ન વીજ પ્રવહન લાઈનોની કામગીરી માટે રૂ. ૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તદ્પરાંત અનુસૂચિત જાતિના અંદાજીત ૫,૩૯૫ લાભાર્થીઓના ઘરોનું વીજળીકરણ કરવાનું આયોજન પણ કરાયું છે. આમ વર્ષ ૨૦૨૫-૨૬માં અનુસૂચિત જાતિના અંદાજીત ૭૦૫ ખેડૂતોને ખેતીવિષયક વીજજોડાણ આપવાનું આયોજન કરાયું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે કાર્યક્ષમ વીજ વિતરણથી રાજયના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણાવત્તાયુકત વીજ પુરવઠો મળે તે માટે કેન્દ્ર સરકારે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ-RDSS જાહેર કરી છે. આ સ્કીમ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ. ૯૩૫.૬૨ કરોડની જોગવાઇ કરી છે. RDSS યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાષ્ટ્રીય સ્તરે વિજ વિતરણ લોસ ૧૨ થી ૧૫ ટકા તેમજ ગુજરાતમાં ૧૦.૫૦ ટકા સુધી ઘટાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ હયાત વીજ વિતરણ રેષાઓ અને સંલગ્ન વીજમાળખાનું શીફ્ટીંગ-રીપ્લેસમેન્ટ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર શિફ્ટિંગ સ્કીમ-DISS યોજના માટે અંદાજપત્રમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલમાં તબદીલ કરવા બજેટમાં રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
ટ્રાન્સમિશન નેટવર્ક વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૨ પહેલાં દર વર્ષે ૧૬ થી ૧૭ સબસ્ટેશન બનતા હતા, જ્યારે હાલમાં રાજ્ય સરકાર છેલ્લા ૧૨ વર્ષથી દર વર્ષે અંદાજે ૯૫ જેટલા સબસ્ટેશનો બનાવે છે. જે આગામી વર્ષે ૩,૧૭૦ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તથા ૯૬ સબસ્ટેશનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રૂ. ૬,૮૩૦.૫૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત અને ભારે વરસાદને કારણે અવિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો પૂરો પાડવો પડકારજનક બની રહે છે. જે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિઝાસ્ટર રેઝિલિયન્ટ અંતર્ગત વીજ વિતરણના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત ૨૦૪૭ પહેલના ભાગરૂપે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવાના અને જાહેર ચાર્જિંગ સ્ટેશન્સની સંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં મોટી સંખ્યામાં ઈ.વી. ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છ ઊર્જા,નવીનતા અને ક્ષમતા નિર્માણ માટે ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-GETRIને રૂ. ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના થકી ગ્રીન જોબ્સ માટે ક્ષમતા નિર્માણ થશે તેમજ નવીનતમ પાયલટ પ્રોજેકટ જેવા કે માઇક્રોગ્રીડ એપ્લિકેશન્સ, એનર્જી સ્ટોરેજ અને ટેકનો-કોમર્શીયલ શકયતાઓનો અભ્યાસ પણ થઇ શકશે.
મંત્રીશ્રીએ કહ્યું કે ઔદ્યોગિક ફિડરને ગ્રીન ફિડર બનાવવા અંગેનો પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્યમાં શરૂ થાય તે હેતુસર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલને પરિણામે ઉધોગો ગ્રીન ઊર્જાના વપરાશ તરફ આગળ વધશે તેમજ રાજ્યને ઉર્જા સંગ્રહના લક્ષ્યાંકને પહોચી વળવામાં મદદ મળશે.
આપણા દેશની એલ.એન.જી. ટર્મિનલ રી-ગેસિફિકેશન ક્ષમતા ૫૨.૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. જે પૈકી અંદાજે ૬૨ ટકા એટલે કે ૩૨.૬૭ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી છે. આમ સમગ્ર દેશમાં આયાત થતા એલ.એન.જી.નો ૭૫ ટકા હિસ્સો એકલા ગુજરાતનો છે,એમ ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ-GSPC એ ભારતની બીજા ક્રમની સૌથી મોટી ગેસનો વેપાર કરતી કંપની છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ફેબ્રુઆરી માસ સુધીમાં GSPC એ ૧૩.૨૭ મીલીયન સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર પ્રતિદિન કુદરતી ગેસનું વેચાણ કર્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારતની સૌથી મોટી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ લિમિટેડ-GGL એ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ભારતભરમાં આશરે ૪૨,૫૨૮ કિલોમીટર લાંબા શહેરી ગેસ વિતરણનું નેટવર્ક સ્થાપ્યું છે તેમજ ૮૨૫ CNG સ્ટેશન સ્થાપ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ દેશભરમાં પાઇપ્ડ કુદરતી ગેસનું આશરે ૨૧,૬૪,૮૦૨ ઘરેલું ગ્રાહકોને વિતરણ કરે છે તેમજ આશરે ૪,૪૬૯ ઔદ્યોગિક એકમ અને આશરે ૧૪,૯૨૦ વ્યાપારી એકમને ગેસ પુરો પાડે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવી હતી.
—————
ગુજરાતમાં પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન સહિતના લાભો આપવા એક્સ.એમ.એલ.એ.કાઉન્સિલની માંગ
ગુજરાત એક્સ.એમ.એલ.એ.કાઉન્સિલના ચેરમેનશ્રી બાબુભાઇ મેઘજી શાહે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્યો માટે પેન્શન અને અન્ય સગવડો સંદર્ભે અનેક પત્રો માન. મુખ્યમંત્રીશ્રીને લખવા છતાં એક પણ વખત ચર્ચા કરવાનું સૌજન્ય દાખવવામાં આવતું નથી જે દુ:ખદ બાબત છે. દેશના અન્ય રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન ઉપરાંત સંખ્યાબંધ સગવડો સ્વમાનપૂર્વક અપાય છે. પરંતુ ગુજરાત જ એક એવું રાજ્ય છે જેમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન અને અન્ય સગવડોથી વંચિત છે.
પૂર્વ ધારાસભ્યો પણ વિતેલા જમાનાના સંનિષ્ઠ લોકસેવક છે, જેઓએ પ્રામાણિકતાથી પ્રજાકીય કામો કરેલા છે. પોતે ધારાસભ્ય નથી એટલે પ્રજાનું કામ નહીં કરે તેવા તેઓ નિષ્ઠુર નથી.
આ લોકપ્રતિનિધિઓએ એવે સમયે ગુજરાત વિધાનસભાના સભ્યપદ થકી લોકસેવામાં પ્રદાન કર્યું હતું જ્યારે ધારાસભ્યોના પગાર અને ભથ્થાં નગણ્ય હતાં. આમાંના ઘણા બધા ખાસ કરીને વનવાસી તેમજ અનુસૂચિત જાતિના અને આર્થિક રીતે તેમજ સામાજિક રીતે પછાત જાતિઓમાંથી આવતા એવા પૂર્વ ધારાસભ્યશ્રીઓ છે કે જે પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવે છે. લોક પ્રતિનિધિ હોવાને નાતે આજે પણ નાનાં મોટાં પ્રજાહિતનાં કામો લઈને એમણે તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાની સરકારી કચેરીઓ અને મંત્રીશ્રીઓ સુધી લાંબા થવું પડે છે. થોડા સમય પહેલાં સરકારે એમને રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસોમાં મફત મુસાફરી કરવાની સવલત આપી છે. પરંતું તેમાં પણ ઓનલાઇન રીઝર્વેશન બુકીંગ જેવી બાબતોમાં આજે પણ અનેક હાલાકીઓ વેઠવી પડી રહી છે. તબીબી સારવાર માટે પણ મહદ અંશે કેટલીક સવલતો આપવામાં આવી છે પણ અન્ય રાજ્યોની સરખામણીએ ન ગણ્ય છે. અગાઉ કહ્યું તેમ આ પ્રજાસેવકો જ્યારે વિધાનસભાના સભ્ય હતા ત્યારે એમને મળતાં ભથ્થાં અને પગાર સાવ નહિવત હતાં. આને કારણે આજે ઘણા બધા પૂર્વ ધારાસભ્યશ્રીઓ એવા છે જેને બે છેડા ભેગા કરતાં આંખે પાણી આવી જાય છે. આવા કેટલાક પૂર્વ ધારાસભ્યો પેન્શન મળશે એવી આશાએ ને આશાએ જ દિવગંત થઇ ગયા.
જે સધ્ધર સ્થિતિમાં છે તેવા પૂર્વ ધારાસભ્યશ્રીઓને કશું જ જોઈતું નથી. પણ અત્યંત આર્થિક સંકડામણમાં જીવતા કેટલાક સાથી પૂર્વ ધારાસભ્યશ્રીઓ માટે નિર્વાહ ભથ્થાં જેવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. એક જમાનો હતો જ્યારે અત્યારે વિધાનસભામાં છે એવી ખૂબ મોટી આર્થિક સધ્ધરતા અને કરોડો રૂપિયાના આસામી હોય એવા ધારાસભ્યો જેવી આર્થિક પરિસ્થિતી ચૂંટાયેલા ધારાસભ્યોની નહોતી. દેશના લોકસભા, રાજ્યસભા અને ગુજરાત સિવાયના બધા જ રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓને પેન્શન સહિતના અનેક લાભો આ કરોડપતિ ધારાસભ્યોને મોંઘવારી અને વધી રહેલ ખર્ચને આગળ કરી આવો જંગી પગાર અને ભથ્થાંનો વધારો અપાતો હોય તો માન. મુખ્યમંત્રીશ્રીની નૈતિક ફરજ બને છે કે આર્થિક સક્ષમતાના જે માપદંડો નાખવા હોય તે નાખીને ગુજરાતના પૂર્વ ધારાસભ્યશ્રીઓ ને લોકસભા અને રાજ્યસભાના ધોરણે લાભો આપવા જોઈએ.
જિંદગીનાં બહુ ઓછાં વરસો હવે તેમણે ગાળવાનાં છે ત્યારે આજે આ સન્માનનીય સભાગૃહના પોણા ભાગના સભ્યો કરોડપતિ હોવા છતાંય જો એમના પગાર અને ભથ્થાં હોય તો આ મુદ્દે પૂર્વ ધારાસભ્યોની માંગણી વ્યાજબી છે અને એનો સ્વીકાર થવો જોઈએ એવી ગુજરાતના આ પક્ષ, તે પક્ષ કે અપક્ષ, કોઈ પણ રીતે ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્યોની એક અવાજે માગણી છે.
અત્યાર સુધી ગુજરાતની પ્રજાના લોકમતના નામે આ માંગણી મંજૂર નહીં કરવાની નીતિ અગાઉની સરકારોની રહી છે. પણ જ્યારે લોકસભા, રાજ્યસભા અને દેશની ગુજરાત સિવાયની તમામ વિધાનસભાના પૂર્વ સદસ્યોને પેન્શન સહિતના લાભ અપાતા હોય તો ગુજરાતને કેમ નહિ? રાજ્યના પૂર્વ ધારાસભ્યશ્રીઓની કાઉન્સીલે કોઈ પણ સરકાર હોય એની પ્રજાહિતની કામગીરી અને રચનાત્મક પ્રવૃત્તિને પક્ષના મતમતાંતરથી ઉપર ઊઠીને આવકારી છે. અને તેમાં પોતાનાથી બનતો સહકાર પણ આપ્યો છે.
એસ.ટી.ના જી.આર. મુજબ પૂર્વ ધારાસભ્ય તરીકેનું કાર્ડ બતાવો એટલે આખા રાજ્યની બસોમાં મુસાફરી કરી શકાય. પરંતું હાલ ડીઝીટલ ગુજરાતમાં પૂર્વ ધારાસભ્યોને એસ.ટી માં ઓનલાઇન બુકીગની પણ સવલત નથી. અને કેટલીક વાર બસમાં રીઝર્વ સીટ હોવા છતાં સીટ ઉપર પૂર્વ ધારાસભ્ય ન લખાયેલું હોવાથી પૂર્વ ધારાસભ્ય/મંત્રીને અપમાનિત થવું પડે છે.
આમ, અન્ય રાજ્યોની વાત કરીએ તો હાલમાં જ સિક્કીમના મુખ્યપ્રધાને ભુતપૂર્વ ધારાસભ્યોને લઘુત્તમ માસિક પેન્શન રૂ.૫૦,૦૦૦ આપવાની જાહેરાત કરી. એફએલએફએસના રરમા સ્થાપના દિવસ નિમીત્તે ધારાસભ્ય તરીકે એક કાર્યકાળ પૂર્ણ કરનાર ભુતપૂર્વ ધારાસભ્યને હવે ૫૦,૦૦૦ નું માસિક પેન્શન મળશે. જે પહેલાં ૨૨,૦૦૦ હતું. તેમજ બે કે તેથી વધુ ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી છે તેમને હવે ૨૫,૦૦૦ થી વધારી ને ૫૫,૦૦૦ રૂપિયા મળશે. ઉપરાંત સિક્કીમ સરકાર સિક્કીમના ભુતપૂર્વ ધારાસભ્ય સંઘને ૨૦ લાખ રૂપિયાની વાર્ષિક અનુદાન સહાય પુરી પાડશે. એવી જ રીતે અગાઉ ગુજરાતમાંથી જ વિભાજન થયા બાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પણ પૂર્વ ધારાસભ્યશ્રીઓને ૫૦,૦૦૦ ઉપરાંત પર ટર્મ દીઠ ૧૦,૦૦૦ ના વધારા સાથે પેન્શન અને રેલ્વે, હવાઇ મુસાફરી જેવી અનેક સવલતો પૂર્વ ધારાસભ્યશ્રીઓને પુરી પાડવામાં આવે છે.
એકદંરે ગુજરાતના પૂર્વ ધારાસભ્યશ્રીઓને પણ લોકસભા-રાજ્યસભાના ધારાધોરણ મુજબ સવલતો, બાબતે સત્વરે સરકાર પુન:વિચારણા કરવા માન. મુખ્યમંત્રીશ્રી, માન. સંસદીય બાબતોના મંત્રીશ્રીને અપીલ કરીએ.
*****************************
અહીંયા માત્ર જનજાગૃતિના ભાગરૂપે સમાચારો તેમજ ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી ન સંપર્ક કરીને કરાવી શકે છે :.તંત્રી